અરવલ્લીના ધનસુરામાં વાલીઓનો અનોખો વિરોધ સામે આવ્યો છે. ધનસુરાના ધામણિયા ગામમાં ખરાબ રસ્તાને લઈને સ્થાનિકોએ આક્રોશ વ્યકત કર્યો છે. આઝાદીના 70 વર્ષ બાદ પણ ધામણિયા ગામને હજુ સુધી સારા રસ્તા મળ્યા નથી.
ધામણિયા ગામમાં રસ્તાઓની હાલત બિસ્માર છે જે અંગે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં ન લેવાતાં સ્થાનિકોએ વિરોધનો નવો રસ્તો અપનાવ્યો છે.
ધામણિયા ગામના સ્થાનિકોએ પોતાના બાળકોને શિક્ષણથી વંચિત રાખીને અનોખી રીતે વિરોધ કર્યો છે. ધોરણ 1થી 8 ભણતા 200થી વધુ બાળકોના વાલીઓએ પોતાના સંતાનોને શાળાએ ન મોકલીને વિરોધ દર્શાવ્યો છે. ધામણિયા ગામના વાલીઓએ આજે બીજા દિવસે પણ પોતાના બાળકોને શાળાએ ન મોકલી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.
ધામણિયા ગામમાં જ્યાં સુધી સારા રસ્તા નહીં બને ત્યાં સુધી પોતાના બાળકોને શાળાએ ન મોકલવાનું વાલીઓએ નક્કી કર્યું છે.