બાવળામાં અચાનક NRI ગુમ થઈ ગયા અને પોલીસ ફરિયાદ બાદ તેમની લાશ મળી આવતા ખળભળાટ.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી હતી
પ્રફુલ પટેલની બન્ને દીકરીઓ ઓસ્ટ્રેલિયામાં રહે છે
લાશ મળતા હત્યા કે આત્મહત્યા તે મુદ્દે તપાસ શરૂ
બાવળા માં રહેતા એનઆરઆઈ પોતાનો મોબાઈલ રીપેરીંગ કરવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા પરંતુ 24 કલાક થી વધુનો સમય થઇ ગયો હોવા છતાં એનઆરઆઈ ધરે પરત આવ્યા નથી પ્રફુલ પટેલ નામના એનઆરઆઈ ગૂમ થવાની ફરિયાદ પરીવારજનોએ ચાંગોદર પોલસી સ્ટેશન માં નોંધાવી હતી. જોકે 8 તારીખના રોજ કમનસીબે કોઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક તળાવમાંથી તેમની ડેડબોડી મળી આવતા પોલીસે તપાસ શરુ કરી છે.
પ્રફુલ પટેલની બન્ને દીકરીઓ ઓસ્ટ્રેલિયામાં રહે છે
65 વર્ષના પ્રફુલ પટેલ પોતાની પત્ની સાથે પ્રારંભ રિટાયડ મેન્ટ ટાઉનશીપ માં સાત મહિનાથી રહે છે. અને તેમની બન્ને દીકરીઓ ઓસ્ટ્રેલિયામાં માં રહે છે. પ્રફુલ પટેલ છ તારીખે પોતાનો ફોન રીપેરીંગ કરવાનું કહીને બલેનો કાર લઈને નીકળ્યા હતા બપોર સુધી ધરે પરત નહિ આવતા પત્નીએ પોતાના પડોશીઓ અને આજુબાજુના ગામના લોકોની સાથે રહીને પ્રફુલ પટેલની શોધખોળ આદરી હતી પરંતુ મોડી રાત સુધીના પ્રફુલ પટેલ મળ્યા કે નહિ તેમની કાર મળી આવી થાકીને પત્નીએ પોતાના સગા સાથે મળીને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરાવી હતી
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી હતી
પોલીસને ગુમ થયાની ફરીયાદ મળતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી હતી. જોકે પોલીસ ને કોઠ પોલીસ સ્ટેશનની હદ માં એક જગ્યાએ બીનવારસી હાલતમા તેમની બલેનો કાર મળી આવી હતી અને ત્યાર બાદ પોલીસને જાણ થઈ કે કોઠ પોલસી સ્ટેશનની હદમાં આવેલ તળાવમાં એક લાસ તરી રહી છે. ત્યારે પોલીસ લાશને બહાલ નીકાળીને જોતા પ્રફુલભાઈની ની જ લાસ હોવાનુ સામે આવ્યુ હતુ.
લાશ મળતા હત્યા કે આત્મહત્યા તે મુદ્દે તપાસ શરૂ
જોકે પર્ફુલ ભાઈની લાસ મળી આવતા પોલીસે હત્યા કે આત્મહત્યા કરી છે તેને પોલીસ તપાસ શરુ કરી છે. હાલ તો પોલીસે સીસીટીવી અને ટેકનીકલ એનાલીસસના આધારે તપાસ ના ચક્રો ગતીમાન કર્યા છે. પોલીસ તપાસમાં બાદ હત્યા કે આત્મ હત્યા નુ સાચુ કારણ સામે આવશે