યુક્રેન પર હુમલો કરનારા રશિયા હવે સ્વીડન અને ફિનલેન્ડને ચતેવણી આપી રહ્યું છે. રશિયાએ કહ્યું કે, જો બંને દેશો નાટોમાં શામેલ થશે, તો તેમનું પરિણામ પણ યુક્રેન માફક ભયાનક આવશે.
યુક્રેન પર અટેક બાદ રશિયાની અહીં નજર
આપી દીધી ગંભીર ચેતવણી
યુક્રેન જેવી થઈ જશે હાલત
યુક્રેન પર હુમલો કરનારા રશિયા હવે સ્વીડન અને ફિનલેન્ડને ચતેવણી આપી રહ્યું છે. રશિયાએ કહ્યું કે, જો બંને દેશો નાટોમાં શામેલ થશે, તો તેમનું પરિણામ પણ યુક્રેન માફક ભયાનક આવશે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર રશિયાના વિદેશ મંત્રાલય તરફથી સ્વીડન અને ફિનલેન્ડને કહેવાયું છે કે, તે નાટોમાં શામેલ ન થાય. જો આવું થશે, તો તેનું પરિણામ ખૂબ જ ભયાનક હશે. ક્રેમલિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવમાં ઘૂસી ગઈ છે અને કબ્જોનો જંગ અંતિમ તબક્કામાં છે.
નિર્ણાયક મોડ પર કીવની જંગ
રશિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેંસ્કીને સત્તામાં બેદખલ કરવા માટે જંગ વધારે મજબૂત કર્યું છે. વિગતો આવી રહી છે કે, રશિયાના પૈરાટ્રુપર્સ કીવમાં ઘૂસી ગયા છે. આ તમામની વચ્ચે રશિયા તરફથી વાર્તા માટે ડેલિગેટ્સ મોકલવાની વાત સામે આવી છે. જેલેંસ્કી સાથે વાર્તા માટે પુતિન ટૂંક સમયમાં પોતાનું પ્રતિનિધિમંડળ પણ મોકલશે. ક્રેમિલનના પ્રવક્તા દિમિત્રી પેસકોવના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રાલય, રક્ષા અને પ્રશાસનિક અધિકારીઓ સહિત એક રશિયાઈ રાજદ્વારી પ્રતિનિધિમંડળને યુક્રેન સાથે વાતચીત માટે મિન્સ્ક મોકલવામાં આવી શકે છે આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે રશિયા તરફથી અપીલ કરવામાં આવી હતી કે, યુક્રેન આત્મસમર્પણ માટે તૈયાર થઈ જાય, તો અમે વાર્તા કરવા માટે તૈયાર છીએ. જો કે, યુક્રેને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
જેલેંસ્કીએ સામાન્ય જનતાને કરી અપીલ
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યું કે, આજની રાત બાકીના તમામ દિવસો કરતા કંઈક અલગ અને મુશ્કેલભરી હશે. અમારા દેશના કેટલાય શહેરો હુમલાનો સામનો કરી રહ્યા છે. શેરનિહિવ, સુમી, ખારકીવ, ડોનબાસ, દેશના દક્ષિણમાં આવેલા શહેરો છે. પણ અમે પોતાની રાજધાની કીવને ખોવા નથી માગતા.
ભારત-ચીને યુએનએસસીમાં મતદાનથી પોતાના અળગા રાખ્યા
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા અને અલ્બાનિયા દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવ્યું. તેમાં રશિયાના આક્રમણ, હુમલા અને યુક્રેની સંપ્રુભુતાના ઉલ્લંઘનની નિંદા કરવામા આવી. તેની સાથે જ આ પ્રસ્તાવમાં યુક્રેનની સંપ્રભુતા, સ્વતંત્રતા, એકતા અને ક્ષેત્રિય અખંડતાને લઈને પ્રતિબદ્ધતા જતાવામાં આવી. રશિયાઈ હુમલાને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
ભારતનું વલણ
જો કે, UNSCમાં ભારતીય સમયાનુસાર શનિવાર રજૂ થયેલા પ્રસ્તાવ પર મતદાન દરમિયાન ભારત અને ચીને અંતર બનાવી રાખ્યું હતું. બનેએ બીજા દેશોની સંપ્રભુતાનું સન્માન કરવા અને યુએન ચાર્ટરને મહત્તાને બનાવી રાખવા માટે વાતચીત અને પાછા ફરવાની વાત કહી હતી. સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પર યુક્રેનના દોનેસ્ક અને લુહાંસ્ક વિસ્તારમાં અમુક ભાગને સ્વતંત્ર રાજ્યો તરીકે માન્યતા આપવાના નિર્ણયને તાત્કાલિક ફેરવવાનું આહ્વાન કરે છે.