કોરોના વાયરસ નામની મહામારીએ દુનિયાભરમાં તબાહી મચાવી છે. આ બીમારીથી અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં 24 હજારથી પણ વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે અને સંક્રમિતો સંખ્યા 5 લાથી વધુ થઇ છે. ત્યારે આ બીમારી માટે ચામાચિડીયાને કારણરૂપ માનવામાં આવે છે, પરંતુ આપને એ બાબત જાણીને આશ્ચર્ય થશે કે ભારતનું એક એવું પણ છે જ્યાં લોકો ચામાચિડીયાની પૂજા કરે છે.
ભારતમાં કોરોનાનો કહેર
બિહારના સરસઇમાં ચામાચિડીયાની થાય છે પૂજા
હજ્જારોની સંખ્યામાં જોવા મળે છે ચામાચિડીયા
આ ગામનું નામ સરસઇ (રામપુર,રત્નાકર) જે વૈશાલી જિલ્લાના રાજાપાકડ પ્રખંડમાં આવેલું છે. અહીંના લોકો ચામાચિડીયાને ગ્રામ દેવતા સ્વરૂપે માને છે અને તેની પૂજા પણ કરે છે. ગામ લોકોનું માનવું છે જે વિસ્તારમાં ચામાચિડીયા વસવાટ કરતા હોય ત્યાં ધનની ક્યારેય અછત સર્જાતી નથી.
ગામમાં કોઇપણ શુભ પ્રસંગ પહેલા થાય છે પૂજા
સરસઇ ગામના લોકોનું એવું પણ માનવું છે કે, અહીં રહેતા ચામાચિડીયા સમગ્ર ગામનું રક્ષણ કરે છે અને સાથે જ તેમના ઉપર કોઇપણ પ્રકારની આફત આવવા દેતા નથી. એટલું જ નહીં ગામના લોકોને કોઇપણ પ્રકારની મહામારીથી પણ બચાવી લે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે ગામમાં કોઇપણ શુભકાર્ય કરતા પહેલા ચામાચિડીયાની પૂજા કરવામાં આવે છે. જેથી બધુ બરાબર રીતે થાય.
બહારની કોઇ વ્યક્તિ આવે તો ચામાચિડીયા કરે છે અવાજ
આ ગામમાં સેંકડોનીન સંખ્યામાં ચામાચિડીયા એક તળાવના કિનારે આવેલા પીપળના ઝાડ પર અને આસપાસના અન્ય વૃક્ષો પર નિવાસ કરે છે. આ ચામાચિડીયાના કારણે ગામનો સમગ્ર વિસ્તાર જાણીતો બન્યો છે અને દરરોજ મોટી સંખ્યામાં લોકો જોવા પણ આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે, રાતના સમયે બહારની કોઇ વ્યક્તિ અહીં આવી ચડે તો ચામાચિડીયા શોર-બકોર કરી મુકે છે અને ગામની કોઇ વ્યક્તિ આવે તો શાંત રહે છે.