દિલ્હીની એક અદાલતે એરિઝ ખાનને પોલીસ ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યા અને 2008 માં બાટલા હાઉસ એન્કાઉન્ટર સંબંધિત અન્ય કેસો માટે ફાંસીની સજા સંભળાવી છે.
બાટલા એન્કાઉન્ટર કેસના આરોપીને સજાએ મોત
દિલ્હીની અદાલતે સંભળાવ્યો નિર્ણય
કોર્ટે કહ્યું ન્યાયનું રક્ષણ કરનારા અધિકારીની હત્યાનો કેસ છે
કોર્ટે આ કેસને રેયરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો હતો અને દોષિત એરિઝને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે એરિઝ ખાનને 11 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેમજ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે તાત્કાલિક અસરથી મૃતક ઇન્સ્પેક્ટર શર્માના પરિવારને 10 લાખ રૂપિયા આપવામાં આવે.
કોર્ટે કહ્યું ન્યાયનું રક્ષણ કરનારા અધિકારીની હત્યાનો કેસ છે
પોલીસે આતંકવાદી સંગઠન 'ઈન્ડિયન મુજાહિદ્દીન' સાથે કથિત સંકળાયેલ ખાનને ફાંસીની સજા આપવાનો અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તે માત્ર હત્યાનો જ કેસ નથી, પરંતુ ન્યાયનું રક્ષણ કરનારા કાયદા અમલીકરણ અધિકારીની હત્યાના કેસ છે. જે બાદ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. પોલીસ વતી હાજર રહેલા એડિશનલ સરકારી વકીલ એ.ટી.અન્સારીએ જણાવ્યું હતું કે આ કેસમાં આવી સજા આપવાની જરૂર છે, જેથી અન્ય લોકો પણ શીખે અને આ સજાને ફાંસીની સજા હોવી જોઈએ. ખાનના વકીલે મૃત્યુ દંડનો વિરોધ કર્યો હતો.
8 માર્ચે દોષિત ઠેરવ્યો હતો
દિલ્હીની એક અદાલતે 2008 માં શર્માની હત્યા અને બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયાનના અન્ય ગુના માટે આરિઝ ખાનને 8 માર્ચે દોષિત ઠેરવ્યો હતા. કોર્ટે કહ્યું હતું કે તે સાબિત થયું છે કે એરિઝ ખાન અને તેના સાથીઓએ પોલીસ અધિકારી પર ફાયરિંગ કરીને તેની હત્યા કરી હતી.
બાટલા હાઉસ એન્કાઉન્ટર કાંડ 2008 માં બન્યો હતો
દક્ષિણ દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયાન દિલ્હી પોલીસના વરીષ્ઠ નિરીક્ષક શર્માની હત્યા કરવામાં આવી હતી. આ કેસના સંદર્ભમાં, એક અદાલતે જુલાઈ 2013 માં ઈન્ડિયન મુજાહિદ્દીન આતંકવાદી શહેઝાદ અહેમદને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ નિર્ણય સામે અહેમદની અપીલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.