કુંભમેળામાં અનેક સાધુ સંતોના કોરોના પોઝિટિવ આવ્યા બાદ અહીં શ્રદ્ધાળુઓને આવનારા 15 દિવસ સ્નાન ન કરવાની અપીલ કરાઈ છે.
ગંગા બની કોરોનાની લહેરનો શિકાર
કુંભ મેળાએ ગંગાના પાણીને કર્યું કોરોના સંક્રમિત
આવનારા 15 દિવસ સુધી ગંગા સ્નાન ન કરવાની અપીલ
ગંગા સ્નાનની મદદથી કોરોના સંક્રમણ વધારે ફેલાવવાનો ખતરો બની રહ્યો છે. ગંગા બેસિન ક્ષેત્રમાં મહામારીનું વિકરાળ રૂપ સામે આવવાની ચિંતા છે. અહીં આગામી 15 દિવસ સુધી ગંગામાં સ્નાન ન કરવાની અપીલ કરાઈ છે. નમામિ ગંગેના અધિકારીઓએ પત્ર લખીને માંગ કરી છે કે તેઓ ગંગા બેસિન વિસ્તારમાં એલર્ટ જાહેર કરે. પ્રો. બીડી ત્રિપાઠીએ કહ્યું કે હાલમાં કોરોના વાયરસની દવા પણ આવી નથી. ગંગાજળ દ્વારા કોરોનાને ખતમ કરવાનો રિપોર્ટ પણ પૂરો થયો નથી. એવામાં જ્યાં સુધી ગંગાજળથી કોરોનાને ખતમ કરવાની પુષ્ટિ થઈ જતી નથી ત્યાં સુધી લોકોને ગંગા સ્નાન અને ગંગા તટથી દૂર રહેવાની અપીલ કરાય. તેઓએ એમ પણ કહ્યું કે વાયરસ સૂકી જગ્યાની સરખામણીએ પાણીમાં ઝડપથી ફેલાય છે. અને સાથે જ અહીં લાબા સમય સુધી સક્રિય પણ રહે છે. ગંગાના પાણીના વહેણની સાથે આ વાયરસ અનેક લોકો સુધી પહોંચી શકે છે.
12 વૈજ્ઞાનિકો કરી રહ્યા છે શોધ
પ્રો. ત્રિપાઠીએ કહ્યું કે રુડકી વિશ્વવિદ્યાલયના વોટર રિસોર્સના ડો. સેદીપ શુક્લાએ ગંગાની મદદથી સંક્રમણ ફેલાવવાને લઈને ચિંતા જાહેર કરી છે. 12 વૈજ્ઞાનિકોની ટીમ વહેતા પાણી પર પાણીમાં કોરોના વાયરસ સક્રિય રહેવાના સમયની શોધ કરી રહી છે. શોધાઈ રહ્યું છે કે પાણીમાં વાયરસ કેટલા સમય સુધી સક્રિય રહી શકે છે.
40થી વધુ સાધુ સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
હરિદ્વારમાં કુંભ સ્નાન બાદ અખાડાથી 40થી વધુ સાધુ સંતોને કોરોના સંક્રમણ થયું છે. મહામંડલેશ્વરના કપિલ દાસનું કોરોના સંક્રમણથી મોત થયું છે. તો અખાડા પરિષદના નરેન્દ્ર ગિરી, અન્નપૂર્ણા મઠ મંદિરના મહંત રામેશ્વર પુરી હોસ્પિટલમાં દાખલ છે. શાહી સ્નાનમાં 49 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે તેમાંથી 2483 લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે જે ચિંતાનો વિષય છે.
ગંગા બેસિનનું ક્ષેત્ર
હરિદ્વારથી લગભગ 800 કિમીના મેદાની યાત્રા કરીને ગંગા ગઢમુક્તેશ્વર, સોકો, ફર્રુખાબાદ, કન્નોજ, બિઠૂર, કાનપુર, રાયબરેલી, પ્રયાગરાજ, મિર્ઝાપુર, વારાણસી, બલિયા, ગાઝીપુર, બક્સર, પટના, ભાગલપુર થઈને નીકળે છે.