પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT) દ્વારા સીમા પર બે પૉર્ટરની હત્યા અને એકનું માથુ કાપીને લઇ જવાની ઘટના પર સેના અધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણે કહ્યું, પ્રોફેશનલ આર્મી ક્યારેય પણ બર્બર કૃત્યોનો સહારો નથી લેતી અને એવી સ્થિતિઓનો સૈન્ય અંદાજમાં જવાબ આપીશું.
સેના અધ્યક્ષ જનરલે કહ્યું, પ્રોફેશનલ આર્મી ક્યારેય પણ બર્બર કૃત્યોનો સહારો નથી લેતી
સેનાના અધ્યક્ષે દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી
ભારતીય સેના LoC પર પણ પ્રોફેશનલ અને નૈતિક અંદાજમાં કામ કરે છે
પાકિસ્તાનના કાયરતાપૂર્ણ હરકતને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સેનાના અધ્યક્ષે દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. સૈન્ય દિવસથી પહેલા આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં સેના અધ્યક્ષે કહ્યું, 'ભારતીય સેના LoC પર પણ પ્રોફેશનલ અને નૈતિક અંદાજમાં કામ કરે છે. પ્રોફેશનલ સેનાઓ ક્યારેય પણ બર્બરતામાં સામેલ નથી થતી.
નોંધનીય છે કે પાકિસ્તાનની BAT ટુકડીએ શુક્રવારે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર સેનાના બે સિવિલિયન પૉર્ટરની હત્યા કરી દીધી. એક અધિકારીએ જણાવ્યું કે, તેમાંથી એકનું માથું પણ કાપી લેવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે BATએ સિવિલિયને નિશાન બનાવ્યા છે. જોકે, સૈનિકોની સાથે આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ થઇ છે. BATમાં પાકિસ્તાની સેનાની સાથે આતંકવાદી પણ સામેલ થાય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોહમ્મદ અસલમ (28)ના મૃતદેહને ખરાબ રીતે વિકૃત કરી દેવામાં આવ્યો હતો અને માથુ ગાયબ હતું.
મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પોર્ટરોની બર્બર હત્યાની નિંદા કરી છે. પાર્ટીએ પાકિસ્તાનની બર્બરતાને લઇને પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, પાકિસ્તાનના કાયરતાપૂર્ણ હરકતોને કડક જવાબ આપવામાં આવશે? એકના બદલે 10 માથા ક્યારે લાવવામં આવશે?