પ્રેગ્નેન્સીમાં ખાવાપીવામાં બહુ જ ધ્યાન રાખવું પડે છે. જેથી આજે અમે તમને પ્રેગ્નેન્સીમાં તુલસી ખાવાના ફાયદા જણાવીશું.
પ્રેગ્નેન્સીમાં ઈમ્યૂનિટી વધારે એવી નેચરલ વસ્તુઓ ખાવી જોઈએ
તુલસીને બેસ્ટ ઔષધી માનવામાં આવે છે
તુલસી પ્રેગ્નેન્સીમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે
ક્યારે શું અને કેટલી માત્રામાં ખાવું તેની સાથે ગર્ભસ્થ બાળક અને માં બંને માટે લાભકારી હોય અને ઈમ્યૂનિટી વધારે એવી નેચરલ વસ્તુઓ ખાવી જોઈએ. નેચરલ વસ્તુઓમાં તુલસીને બેસ્ટ ઔષધી માનવામાં આવે છે. તે પ્રેગ્નેન્સીમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તુલસીમાં રહેલાં તત્વો અને ગુણ પ્રેગ્નેન્સીમાં કઈ રીતે લાભકારી છે તેના વિશે આજે અમે તમને જણાવીશું.
પ્રેગ્નેન્સીમાં તુલસીનું સેવન કરવાના ફાયદા
પાણીમાં સહેજ મીઠું નાખી તેમાં તુલસીના 2-3 પાન પલાળીને પછી ચાવીને ખાવા. તેનાથી શરદી-ખાંસી, એલર્જીની સમસ્યા થતી નથી અને પ્રેગ્નેન્સીમાં નાની-મોટી તકલીફો સામે પણ રક્ષણ મળે છે.
તુલસીમાં ભરપૂર મેગ્નેશિયમ હોય છે. મેગ્નેશિયમ પ્રેગ્નેન્સીમાં વધતાં તણાવને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તે ગર્ભસ્થ બાળક માટે પણ ફાયદાકારક છે.
તુલસીમાં વિટામિન એ સારી માત્રામાં હોય છે. જેથી તેને રોજ ખાવાથી આંખોની રોશની વધે છે.
પ્રેગ્નેન્સીમાં લોહીની કમીની સમસ્યા મોટાભાગની મહિલાઓમાં જોવા મળે છે. એવામાં આ સમયે ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. તુલસીના પાન ખાવાથી શરીરમાં લોહીની કમીને દૂર કરી શકાય છે.
પ્રેગ્નેન્સીમાં તુલસીના પાન ખાવાથી પેટ દુરસ્ત રહે છે. અપચો અને પેટની બીમારીઓમાં પણ આરામ મળે છે. પ્રેગ્નેન્સીમાં મોટાભાગની મહિલાઓને કબજિયાતનો પ્રોબ્લેમ થઈ જાય છે. તો આ સમયે તુલસીના પાન ખાવાથી ઘણો ફાયદો મળશે.
રોજ સવારે તુલસીના 2-3 પાન ખાઈ લેવાથી પ્રેગ્નેન્સીમાં થતું મોર્નિંગ સિકનેસ અથવા ઊબકાંની સમસ્યામાં આરામ મળે છે.
તુલસીમાં રહેલી એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી બોડીમાં થતાં દુખાવા અને સોજામાં ફાયદાકારક હોય છે.
પ્રેગ્નેન્ટ મહિલાઓએ તુલસીની હર્બલ ટી પણ પીને તેના ફાયદાઓ મેળવી શકે છે.