આપણા ભોજનમાં દરરોજ રોટલી જરૂર હોય છે. પરંતુ શું તમે તેના સાથે જોડાયેલા અમુક જ્યોતિષ નિયમો વિશે જાણો છો?
જાણો રોટલી સાથે જોડાયેલા જ્યોતિષ નિયમો
ક્યારેય ન બનાવો વાસી લોટની રોટલી
તેનાથી ઘરમાં થશે ઝગડા-કલેશ
આજકાલ મહિલાઓ ભોજન બનાવતી વખતે એક સાથે વધારે લોટ બાંધી દે છે અને તેનાથી રોટલી બનાવ્યા બાદ વધારેલા લોટને ફ્રિઝમાં મુકી દે છે અને જરૂર પડવા પડ તેજ લોટની રોટલી બનાવી દે છે. તેનાથી તેમને લોટ બાંધવા માટે વારંવાર મહેનત નથી કરવી પડતી. લોટ સ્ટોક કરવું સુવિધાજનક તો છે પરંતુ જ્યોતિષ અનુસાર તેને યોગ્ય નથી માનવામાં આવતું.
જ્યોતિષમાં રોટલીઓનો સંબંધ પણ ગ્રહો સાથે છે અને તેના વિશે તમામ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો પરિવારમાં સમસ્યાઓ પુરી જ નથી થતી અને સુખ સમૃદ્ધિ જતી રહે છે.
પરિવારમાં ઝગડો કરાવે છે વાસી લોટની રોટલીઓ
જ્યોતિષ અનુસાર રોટલીઓનો સંબંધ સૂર્ય અને મંગળ ગ્રહ સાથે હોય છે કારણ કે રોટલી હંમેશા શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. પરંતુ જ્યારે આપણે ફ્રિઝમાં લોટ મુકીએ છીએ તો તે વાસી થઈ જાય છે. વાસી લોટનો સંબંધ રાહુ સાથે હોય છે. રાહુ માનસિક સ્થિતિને સંતુલિત નથી રહેવા દેતુ.
ઘરમાં ક્લેશ અને ઝગડા થાય છે
એવામાં જ્યારે આ વાસી લોટની રોટલીઓ ઘરના સદસ્યો ખાય છે તેમની અંદર ભ્રમ અને ઝગડાની પ્રવૃત્તિ પેદા થાય છે. તેમનો અવાજ મોટો થઈ જાય છે. સહન શક્તિ ઓછી થઈ જાય છે. નિર્ણય ક્ષમતા પ્રભાવિત થઈ જાય છે. એવામાં ઘણી વખત ખોટા નિર્ણય લેવામાં આવે છે. ઘરમાં ક્લેશ અને ઝગડા વધે છે. જો તમે હકીકતમાં ઘરમાં શાંતિ મેળવવા માંગો છો તો દરરોજ તાજો લોટ બાંધીને જ રોટલીઓ કરો.
વૈજ્ઞાનિક કારણો પણ સમજો
જો વાસી લોટના નુકસાનનું વૈજ્ઞાનિક કારણ જોઈએ તો વાસી લોટમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. જે આપણા શરીરને એનર્જી નથી આપતા. પરંતુ સુસ્ત કરી દે છે અને બીમાર બનાવે છે. એવામાં આપણી કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે. તેની અસર આપણી આર્થિક સ્થિતિ પર પણ પડે છે.