બસવરાજ બોમ્મઈએ આજે કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ લીધા બાદ સૌથી પહેલા તેમણે એવું કહ્યું કે તેઓ રાજ્યમાં ગરીબોના કલ્યાણ માટેના કાર્યો પહેલા કરશે.
કર્ણાટકના નવા મુખ્યમંત્રીએ લીધા શપથ
પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના ઘણા નજીક છે બસવરાજ
યેદિયુરપ્પાની સાથેજ શપથ લેવા રાજભવન આવ્યા હતા
કર્ણાટકમાં બસવરાજ બોમ્મઈએ આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા. છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા ચાલી રહી હતી. જે ચર્ચાનો આજે અંત આવ્યો છે. બસવરાજે શપથ લીધા પહેલા કહ્યું કે તેમને પૂર્વ મુખ્યમંત્રી યેદિયૂરપ્પાના લાંબા અનુભવનો ફાયદો મળશે. બે દિવસ પહેલાજ યેદિયૂરપ્પાએ નેતૃત્વ પરિવર્તનમાં ચાલી રહેલી ખેંચતાણમાં રાજીનામું આપ્યું હતું.
પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી બનાવામાં આવ્યા
યેદિયુરપ્પાના રાજીનામા વીશે એવી ચર્ચા ચાલી રહી છે. કે તેમની વધતી ઉંમરને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. બસવરાજ બોમ્મઈ પણ યેદિયુરપ્પાના ઘણા નજીક હતા. જેથી ભાજપ દ્વારા પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને તેમને મુખ્યમંત્રી બનાવામાં આવ્યા છે. કારણકે બોમ્મઈ પણ લિગાયત સમુદાયનાજ છે. જે સમુદાય સાથે યેદિયુરપ્પાના પણ સંબંધ છે.
કોણ છે બિસવરાજ બોમ્મઈ ?
બસવરાજ બોમ્મઈ લિંગાયત સમુદાયમાંથી આવે છે
કર્ણાટકમાં લિંગાયત સમુદાય ભાજપની પરંપરાગત વોટબેંક છે
કર્ણાટકમાં 19 ટકા મતદાતા લિંગાયત સમુદાયના છે
બસવરાજ યેદિયુરપ્પા પછી ભાજપનો જાણીતો લિંગાયત ચહેરો છે
બસવરાજ બોમ્મઈની વ્યકિતગત છબી સ્વચ્છ છે
બસવરાજ યેદિયુરપ્પાની નિકટના માનવામાં આવે છે
યેદિયુરપ્પાના કહેવાથી બસવરાજને મુખ્યમંત્રી બનાવાયાની પ્રબળ ચર્ચા છે
હાલની સ્થિતિમાં યેદિયુરપ્પાને ભાજપ નારાજ કરી શકે એમ નથી
યેદિયુરપ્પા હાલ રાજ્યમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે એવી સ્થિતિમાં છે
યેદિયુરપ્પા સાથે રાજભવન પહોચ્યા
સવારે 10.30 વાગે બસવરાજ સપથ લેવા માટે રાજભવન પહોચ્યા હતા. તેઓ જ્યારે રાજભવન પહોચ્યા ત્યારે પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ તેમની સાથેજ હતા. રાજભવન પહોચતા પહેલા તેમણે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત લીધી હતી.
સોમવારો સાંજે યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું
ગત મંગળવારે સાંજના સમયે ભાજપ દ્વારા બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જોકે આ પહેલા સોમવારે સાંજના સમયેજ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. જે રાજીનામાનો ગર્વનરે તુરંત સ્વીકાર પણ કરી લીધો. બસવરાજે મુખ્યમ્ંત્રી પદના શપથ લિધા બાદ સૌથી પહેલા એવું કહ્યું કે તેઓ ગરીબોના કલ્યાણ માટેના કાર્ય પહેલા કરશે.
કોરોના મુદ્દે સિનિયર અધિકારીઓ સાથે બેઠક
ઉલ્લેખનીય છે કે આજે બસવરાજ બોમ્મઈ કેબિનેટ બેઠક ગોઠવશે. ત્યારબાદ તેઓ કર્ણાટકમાં કોરોનાને લઈને સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરવાના છે. હાલ વરસાદને કારણે કર્ણાટકમાં ભારે તારાજી સર્જાઈ છે અને આવા સમયે યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું છે. જે બોમ્મઈ માટે મોટો પડકાર કહી શકાય. જોકે મુખ્યમંત્રી બસવરાજ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા બંને જણા એકબીજીની ઘણા નજીક છે. જેથી કર્ણાટકની રાજનિતીમાં યેદિયુરપ્પા સક્રિય રહેવાના.