ગુજરાતી પંચાગ અનુસાર મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે ભગવાન વિષ્ણુ કૃષ્ણ તેમજ માતા સરસ્વતીને પીળા રંગના વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીના દિવસે સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે.
આ વર્ષે વસંત પંચમી કઇ તારીખે છે તેને લઇને લોકોમાં મૂંઝવણ છે. આ વખતે વસંત પંચમી 2 દિવસ છે. દેશના કેટલાભ ભાગમાં ચતુર્થી તિથિ 9 તારીખે બપોર પૂર્ણ થઇ રહી છે અને ત્યારબાદ વસંત પંચમી શરૂ થશે. તો 10 તારીખે વસંત પંચમી 2.09 કલાક સુધી જ છે. ત્યારે સરસ્વતી પૂજા ક્યારે કરવાથી શુભ રહેતે જાણો.
પંજાબ જમ્મૂ- કાશ્મીર હરિયાણા હિમચાલ પ્રદેશ રાજસ્થાન દિલ્હી પ્રશ્ચિમી ઉત્તર પ્રદેશ જેવા કેટલાક ક્ષેત્રોમાં મા સરસ્વતીની પૂજા 9 ફેબ્રુઆરીના કરવામાં આવશે. ગુજરાત પૂર્વ ઉત્તર પ્રદેશ પૂર્વ મધ્યપ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ ઓડીશા આંધ્ર પ્રદેશ તેલંગાણા તેમજ પૂર્વ મહારાષ્ટ્રમાં 10 ફેબ્રુઆરી રવિવારના દિવસે વસંત પંચમી ઉજવાશે.
સરસ્વતી પૂજા માટેનુ શુભ મૂહર્ત:
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી પ્રાગટ્ય થયા હતા એટલા માટે માતા સરસ્વતીના જન્મોત્સવના રૂપમાં પણ આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્તવીની સાથે કામદેવ અને રતિની પૂજા કરવાનું પણ મહત્વ છે. રવિવારે સવારે 6.45 કલાકથી બપોરે 12.25 સુધી સરસ્વતી માતાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
પૂજા કરતા રાખો આ ખાસ ધ્યાન:
માતા સરસ્વતી જ્ઞાન અને શાંતિનું પ્રતીક છે. તેમની પૂજા માટે સફેદ અને પીળા રંગના ફૂલો તેમજ વસ્ત્રોનો ઉપયોગ કરવો. માતા સરસ્વતીને બૂંદી ચુરમું તેમજ ખીરનો પ્રસાદ ધરાવવો. આ દિવસે વસંતનું આગમન થાય છે એટલે માતાને ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઇએ.
રાધા-કૃષ્ણની પૂજાની પણ મહત્વ:
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની સાથે રાધા-કૃષ્ણની પૂજાનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. રાધા-કૃષ્ણ પ્રેમનું પ્રતીક છે અને આ દિવસે કામદેવ પૃથ્વી પર આવે છે. પ્રેમમાં કામુકતા પર નિયંત્રણ અને સાદગી રહે તે માટે રાધા-કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે રાધા-કૃષ્ણેએ એકબીજાને ગુલાલ લગાવ્યું હતું એટલે કે ગુલાલ લગાવવાની પણ પંરપરા છે.