FSLના રિપોર્ટ બાદ મૃત્યુનું સાચુ કારણ બહાર આવશે. કથિત લઠ્ઠાકાંડમાં સોમવાર રાત્રિ સુધીમાં 18થી વધુ દર્દીઓ જીવ ગુમાવ્યો છે.
બરવાળા લઠ્ઠાકાંડ મોતની ભઠ્ઠી સમાન
18થી વધુ દર્દીઓના મોત
5 આરોપીઓની અટકાયત કરાઇ
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 18 થી વધુ લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સરકાર હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે
અમદાવાદથી કેમિકલ મોકલવામાં આવ્યું હોવાનો ખુલાસો
બરવાળાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડનો મામલે પોલીસ તપાસમાં એકબાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. દેશી દારૂ બનાવવા માટે અમદાવાદથી કેમિકલ મોકલવામાં આવ્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આ સાથે પોલીસે અત્યાર સુધી કુલ 5 આરોપીઓની અટકાયત કરાઇ છે. જેઓ દારૂમાં કેમિકલ ભેળવીને વેચતા હતા. દારૂનું વેચાણ કરનાર અને દારૂ બનાવનારને ઝડપી પાડવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોમવાર રાત્રિના 10 વાગ્યા સુધીમાં 18 લોકોના મૃત્યુ થયા છે.
રોજીદ ગામમાં જ 5ના મોત
રોજીદના કથિત લઠ્ઠાકાંડના 22 અસરગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. 22 પૈકી 3ની હાલત અતિગંભીર જેમણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. એક મહિલા દર્દી પણ સારવાર હેઠળ છે. રોજીદ ગામના જ 5 લોકોએ ઝેરી દારૂ પી દમ તોડી દીધો છે.મૃતકોના પરિવારજનો હૈયાફાટ રૂદન કરતા નજરે પડ્યા છે. આમ 4 યુવાની ઓચિંતી વિદાઈ થી રોજીદ ગામ શોકમગ્ન મગ્ન બન્યું છે.
કથિત લઠ્ઠાકાંડના મૃતકો
વશરામ પરમાર
ઘનશ્યામ વેરશીભાઇ
બળદેવભાઇ મકવાણા
હિંમતભાઇ વડદરિયા
રમેશભાઇ વડદરિયા
કિશનભાઇ ચાવડા
ભાવેશ ચાવડા
પ્રવિણભાઇ કુંવારિયા
અરવિંદભાઇ સીતાપરા
ઇર્શાદભાઇ કુરેશી
શાંતી તળશી પરમાર
ધુડાભાઈ પગી
ભુપતભાઈ મુખી
ગાંધીનગર સુધી હપ્તારાજ ચાલી રહ્યું છેઃ ચાવડા
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર ભ્રષ્ટાચારમાં લુપ્ત થઇ ગઇ છે. ગાંધીનગર સુધી હપ્તારાજ ચલાવી પૈસા લઇ દારૂ વેચવા દેવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે.સાથે જ કહ્યું કે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઇએ. લોકોના મોતની જવાબદારી સ્વીકારી ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરી છે.
બોટાદના રોજીદ ગામના 5 લોકોના મોત
ચદરવા ગામના 2 લોકોના મોત
ચદરવા ગામના 2 લોકોના મોત
દેવગના ગામના 2 લોકોના મોત
ધંધુકા તાલુકાના 9 લોકોના મોત થયા
અણીયાલી ગામના 2 લોકોના મોત
આકરૂ ગામના 3 લોકોના મોત
ઉચડી ગામના 2 લોકોના મોત
ગામે ગામે પોલીસ તપાસમાં જોતરાઈ
કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ચોકડી ગામે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો છે. રોજીદ ગામની પાસે જ આવેલા ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને વેચાણ અલગ અલગ ગામોમાં થયું હતું. તપાસમાં અમદાવાદ SOG, પ્રાંત મામલતદાર પણ જોડાયા છે. કોઈ મોકો ન મળે તે માટે બુટલેગરો પર રાત્રે જ તવાઇ બોલાવવામાં આવી છે હાલ પોલીસ ચોકડી ગામના આગેવાનો અને સ્થાનિકોની પૂછપરછ કરી રહી છે.ગામમાં કોણ કોણ દારૂ પીવે છે તેની તપાસ કરી કોઇને અસર જણાય તો સારવાર લેવા માટે અપીલ પણ કરવામા આવી છે.
લઠ્ઠાકાંડનો ઘટનાક્રમ શું હતો?
2 દિવસ પહેલા દારૂ પીધો હતો
ગઈકાલે રાત્રે 2 લોકોના મૃત્યુ થયા
બીજા અન્ય ચાર લોકોના મૃત્યુ થયા
જે લોકોના મૃત્યુ થયા તે બુટલેગરોને પોલીસે શોધ્યા
3 ગામના લોકોના મૃત્યુ મામલે તપાસ થઈ
ચોકડી ગામે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તપાસમાં
ધંધુકા અને રોજીદમાં કુલ 10 જેટલા લોકોના મોત થશે- MLA રાજેશ ગોહિલ
MLA રાજેશ ગોહિલે કથિત લઠ્ઠાકાંડને લઈ ગુજરાત સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા છે. સાથે જ મોટો દાવો કરતાં કહ્યું કે ધંધુકા અને રોજીદમાં કુલ 10 જેટલા લોકોના મોત ઝેરી દારૂ પીવાથી થયા છે. હજુ મૃત્યુઆંક વધી શકે છે.ફેબ્રઆરી મહિનાથી અમે રજૂઆતો કરી રહ્યાં છીએ પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આવી ઘટનાઓથી ઘણા પરિવારો બરબાદ થઇ ગયા છે. દારૂબંધીના કાયદાનો અમલ થઈ રહ્યો છે કે નહીં તે મોટો સવાલ કરતાં આરોપ લગાવ્યો કે સરકાર જ ગુનેગારોને છાવરી રહી છે. એક પણ બુટલેગર પોલીસને હાથે પકડાતો નથી.