ધંધુકા અને રોજીદમાં કુલ 10 જેટલા લોકોના મોત થશે-રાજેશ ગોહિલ,સ્થાનિકોના મતે પણ મૃત્યુઆંક મોટો, તંત્ર 1 મોતનો કરી રહ્યું છે દાવો,
બોટાદ કથિત લઠ્ઠાકાંડનો મામલો
ભાવનગર: સિવિલમાં સારવાર
ચોકડી: એકશનમાં પોલીસ
રોજીદ: ઝેરી દારૂની અસર
ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા આપણા ગુજરાતમાં આજે હચમચાવનારી ઘટના બની. બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં ઝેરી દારૂ પીવાના કારણે 7થી વધુ લોકો મોત થયાની ચર્ચા છે.જો કે સત્તાવાર રીતે પોલીસ માત્ર એક જ વ્યક્તિનું મોત થયાનું પોલીસ કહી રહી છે. ઝેરી દારૂના સેવન બાદ બીમાર પડેલા લોકોને બોટાદ અને ભાવનગરમાં સારવાર અપાઈ રહી છે.
ધંધુકા અને રોજીદમાં કુલ 10 જેટલા લોકોના મોત થશે- MLA રાજેશ ગોહિલ
ત્યારે MLA રાજેશ ગોહિલે કથિત લઠ્ઠાકાંડને લઈ ગુજરાત સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા છે. સાથે જ મોટો દાવો કરતાં કહ્યું કે ધંધુકા અને રોજીદમાં કુલ 10 જેટલા લોકોના મોત ઝેરી દારૂ પીવાથી થયા છે. હજુ મૃત્યુઆંક વધી શકે છે.ફેબ્રઆરી મહિનાથી અમે રજૂઆતો કરી રહ્યાં છીએ પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આવી ઘટનાઓથી ઘણા પરિવારો બરબાદ થઇ ગયા છે. દારૂબંધીના કાયદાનો અમલ થઈ રહ્યો છે કે નહીં તે મોટો સવાલ કરતાં આરોપ લગાવ્યો કે સરકાર જ ગુનેગારોને છાવરી રહી છે. એક પણ બુટલેગર પોલીસને હાથે પકડાતો નથી.
ધંધુકાના 3 ગામોના જ 7 લોકોના મોતનો દાવો
તો બીજી તરફ કથિત લઠ્ઠાકાંડને લઇને મહત્વના સમાચારએ પણ મળી રહ્યા છે કે ધંધુકાના જ 3 ગામોના 7 લોકોના મૃત્યુ થયા છે. આકરૂ,અણિયારી અને ઉચડી ગામના લોકોનો ભોગ દેશી દારૂએ લીધો છે.ધંધુકા ખાતે અલગ-અલગ સ્થળે 25 લોકો સારવાર લઇ રહ્યાં છે. દારૂ બરવાળા તાલુકાના નભોઇ અને રોજીદ ગામનું હોવાનું સ્થાનિકોમાં ચર્ચા છે.
લઠ્ઠાકાંડના 17 અસરગ્રસ્તોની ભાવનગરમાં સારવાર
રોજીદના કથિત લઠ્ઠાકાંડના 17 અસરગ્રસ્તો ભાવનગર લવાયા છે. અસરગ્રસ્ત 17 પૈકી 3ની હાલત અતિગંભીર છે. એમ્બ્યુલન્સ મારફતે તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાવનગરના SP રવિન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોચ્યા છે.
ભાવનગર લવાયેલા દર્દીઓના નામ
વિનુ હનુભાઈ ખોદડા
બલવંત શાંતિ ભાઈ
અનિલ બળદેવભાઈ
દેવજી નાનુભાઈ
ભુપત જીમાભાઈ વિરગામા
રમેશ બહાદુરભાઈ કાવીઠિયા
હિમત મુળજીભાઈ ઉતરેડિયા
શિવાવશારામભાઈ ડાભી
મનોજ મધાભાઈ સોલંકી
ચોકડી ગામે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તપાસમાં
કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ચોકડી ગામે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો છે. રોજીદ ગામની પાસે જ આવેલા ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને વેચાણ અલગ અલગ ગામોમાં થયું હતું. તપાસમાં અમદાવાદ SOG, પ્રાંત મામલતદાર પણ જોડાયા છે. કોઈ મોકો ન મળે તે માટે બુટલેગરો પર રાત્રે જ તવાઇ બોલાવવામાં આવી છે હાલ પોલીસ ચોકડી ગામના આગેવાનો અને સ્થાનિકોની પૂછપરછ કરી રહી છે.ગામમાં કોણ કોણ દારૂ પીવે છે તેની તપાસ કરી કોઇને અસર જણાય તો સારવાર લેવા માટે અપીલ પણ કરવામા આવી છે.
હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએઃ અલ્પેશ ઠાકોર
બરવાળાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઇને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યુ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે આ મામલે આંદોલન શરૂ કર્યું હતું. હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએ. વહીવટી તંત્ર અને અધિકારીઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે. હલકી ગુણવત્તાનો દારૂ બનાવનાર સામે કાર્યવાહી કરો. દોષિતોને લાંબાગાળાની સજા થવી જોઈએ. પોતાના ફાયદા માટે કેટલાક લોકો હલકી ગુણવત્તા વાળો દારૂ બનાવે છે.
7 લોકો સારવાર હેઠળ, 1નું જ મોત: રેન્જ IG
કથિત લઠ્ઠાકાંડનો મામલે ભાવનગર રેન્જ આઇજી અશોક યાદવે નિવેદન આપ્યું છે. રેન્જ આઇજીએ કહ્યું કે, પોલીસની ટીમો અલગ-અલગ વિસ્તારમાં મોકલાઇ છે. બુટલેગરોને પકડવા માટે ટીમો મોકલાઇ છે. જે અસરગ્રસ્તો છે તેમની સારવાર ચાલી રહી છે. ક્રિટીકલ છે તેમને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે. 1 વ્યક્તિું મોત થયું છે. અત્યાર સુધી 7 લોકો સારવાર હેઠળ છે. DySPની અધ્યક્ષતામાં SITની રચના કરાઇ છે.