બરોડા ડેરીમાં પશુપાલકોને થતા અન્યાયનો મામલે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ભાવફેર મુદ્દે ફરી હુંકાર કર્યો છે
બરોડા ડેરીમાં પશુપાલકોને અન્યાયનો મામલો
ધારાસભ્ય કેતન ઇનામદારનો ફરી હુંકાર
સમાધાન કરાવનાર મોવડીઓ સાથે મીટિંગ
બરોડા ડેરીમાં પશુપાલકોને થતા અન્યાયનો મામલે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ભાવફેર મુદ્દે ફરી હુંકાર કર્યો છે, તેમણે કહ્યું છે કે ડેરી સંચાલકોએ સમાધાન મુજબ નહીં વર્તીને અન્યાય કર્યા છે ધારાભ્યએ ગયા વર્ષ જેટલો જ ભાવફેર અપાતા હોવાનો આક્ષેપ કરતા વિરોધ નોંધાવ્યો છે અને ડેરસ, સાવલીના દૂધ મંડળીના મંત્રીઓ પાસે હિસાબની માંગ કરી છે.
ધારાસભ્ય કેતન ઇનામદારનો ફરી હુંકાર
મહત્વનું છે કે બરોડા ડેરીમાં ચાલતા ગેરવહીવટને લઈને અગાઉ સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીના સત્તાધિશો પર આક્ષેપ કર્યો હતા જે બાદ ડેરીના ચેરમેન દિનુ પટેલ દ્વારા પણ પલટવાર કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે ભાજપના આગેવાનો સમક્ષ આવતા બંને વચ્ચે કેટલીક શરતો સાથે સમાધાન કરાવવામાં આવ્યુ હતું અને આ સમાધાન બાદ પણ નિવેડો દેખાઈ રહ્યો નથી.
સમાધાન કરાવનાર મોવડીઓ સાથે આજે બેઠક
કેતન ઈનામદારે પશુપાલકોને અન્યાય મામલે વધુ ત્રણ ધારાસભ્યો તેમની સાથે જોડાયાનો હોવાનો દાવો કર્યો છે સમગ્ર મામલે સમાધાન કરાવનાર મોવડીમંડળ સાથે બેઠક યોજવાની માંગ કરી છે આ બેઠકમાં સમાધાન કરાવનાર સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર રહે, મહત્વનું છે કે ડેરીના ચેરમેન સાથે સમાધાન કરાવનાર મોવડીઓ આજે એક બેઠક મળનાર છે જેમાં દૂધ મંડળીના મંત્રીઓ બે વર્ષનો હિસાબ આપે તેવું મનાઈ રહ્યું છે આ બેઠકમાં મધુ શ્રીવાસ્તવ, શૈલેષ મહેતા, અક્ષર પટેલ સહિતના ધારાસભ્યો હાજર રહી શકે છે.