ગુજરાતમા આમ આદમી પાર્ટી પર થયેલા કથિત હુમલા બાદ AAPના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે.
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલા બાદ સીએમ કેજરીવાલનું એક મોટું નિવેદન આપ્યું છે. સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પર થયેલો આ બર્બરતાપૂર્વક હુમલો અત્યંત નિંદનીય છે. જનતાના હકના અવાજને આવા કોઈ લાઠી-ડંડા અથવા તાનાશાહીથી નહીં દબાવી શકાય.
આપના નેતાઓએ કમલમનો કર્યો હતો ઘેરાવો
AAPના નેતાઓ અને કાર્યકરો આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હાત અને ભારે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યો હતો. જો કે પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી તેમની ઉપર લાઠીચાર્જ કર્યો હતો જેમાં આપના કેટકાલ નેતાઓને ઈજા થઈ હતી.પોલીસ લાઠી ચાર્જમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા.જ્યારે અન્ય કેટલાક કાર્યકરોના માથા પણ ફૂટ્યાં હતા. આપના ઉગ્ર વિરોધ વચ્ચે પોલીસે ઇસુદાન ગઢવી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. માત્ર એટલું જ નહીં પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવી પડી હતી.
गुजरात में आम आदमी पार्टी के नेताओं और कार्यकर्ताओं पर ये बर्बरतापूर्ण हमला बेहद निंदनीय है। जनता के हक़ की आवाज़ को ऐसे किसी लाठी-डंडों या तानाशाही से नहीं दबाया जा सकता। https://t.co/GCxW4wqMfa
મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આજની આ ઘટના બાદ ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવા બદલ પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા
હેડ ક્લાર્કના પેપર લીક બાદ હવે કોંગ્રેસ કાંઈ પણ કાચુ કાપવા દેવા માંગતી નથી. ત્યારે આજે કોંગ્રેસ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 9 પેપર લીક થયા છે. છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકારમાં બેરોજગારી આસમાને છે, ત્યારે LRD,સચિવાલયની પરીક્ષાના પેપર લીક બાદ હેર્ડ ક્લાર્કનું પેપર ફુંટી જવું એ કૌભાંડ છે. રઘુ શર્માએ વધુમાં કહ્યું કે એકવાર પેપર લીક થવા તો સમજી શકાય ભુલ થઈ પરતું વારંવાર એકબાદ એક એમ 9 વખત પેપર પરીક્ષા પહેલા જ ફુંટી ગયા છે.
હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાં બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને આપના કાર્યકર્તાઓઓએ કમલમનો ઘેરાવો કરવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે કેટલાક લોકો માત્ર રાજકીય રોટલા શેકવા આવ્યા છે. પોલીસે કાર્યવાહી કરી એટલે કેટલાકને પેટમાં દુ:ખે છે.AAP અને કોંગ્રેસ બંને પાર્ટીઓ હવે આ મુદ્દાને રાજકીય રૂપ આપી રહી છે.