અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમણે લખેલી પુસ્તકને લીધે આજ કાલ ખૂબ ચર્ચામાં છે. ઓબામાના સંસ્મરણ ‘એ પ્રોમિસ્ડસ લેન્ડ’માં તેમણે કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધી વિશે લખ્યું છે કે તેઓમાં ગભરાયેલા વિદ્યાર્થીના ગુણ છે. પોતાના શિક્ષકને ઈમ્પ્રેસ કરવાની ઈચ્છા છે પણ તેમની વિષયમાં મહારત મેળવવાની યોગ્યતા અને ઉત્સાહની ઉણપ છે. ત્યારે હવે પુસ્તકનો એ ભાગ પણ સામે આવ્યો છે જેમાં તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના મન મુકીને વખાણ કર્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા શશિ થરુરે પુસ્તકને લઈને અનેક ટ્વીટ કર્યા છે.
40 વર્ષના દીકરા રાહુલને કોઈ ખતરો નહોંતો
સોનિયા ગાંધીની મનમોહન સિંહની પસંદગી યોગ્ય હતી
પૂર્વ પીએમ મનમોહન સિંહને ભારતના આર્થિક પરિવર્તનના મુખ્ય વાસ્તુકાર રુપે દર્શાવ્યા
બરાક ઓબામાએ પોતાની પુસ્તકમાં 1990 બાદના શરુઆતના વર્ષોમાં ભારતના અધિક બજાર આધારિત અર્થવ્યવસ્થાનો ઉલ્લેખખ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે ભારતના આર્થિક પરિવર્તનના મુખ્ય વાસ્તુકાર રુપે પૂર્વ પીએમ મનમોહન સિંહ આ પ્રગતિના એક ઉપયુક્ત પ્રતીકની જેમ લાગ્યા હતા. શીખ ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોના સભ્યો, જે સર્વોચ્ચ પદ પર સ્થાન પામ્યા. એક આત્મનિર્ભર ટેક્નોક્રેટ, જેમણે ઉચ્ચ જીવન સ્તર અને ભ્રષ્ટ નહીં હોવાના કારણે અર્જિત પ્રતિષ્ઠા બનાવી રાખવા માટે લોકોને ભરોસો જીત્યો હતો.
પુસ્તકમાં ઓબામાએ લખ્યુ કે મનમોહન સિંહની સાથે વિતાવેલો એ સમય અસામાન્ય જ્ઞાન અને શાલીનતાના રુપે તેમની પ્રારંભિક છાપની પુષ્ટિ કરે છે. ડૉ. મનમોહન સિંહે હુમલા બાદ પાકિસ્તાનની વિરુદ્ધ જવાબી કાર્યવાહીને લઈને ઉઠેલી માંગનો વિરોધ કર્યો હતો. પરંતું સંયમની કિંમત તેમને રાજકીય રીતે ચૂકવવી પડી. તેમને ડર હતો કે મુસ્લિમ વિરોધી ભાવનાથી વિપક્ષી ભાજપ પાર્ટીની અસરને મજબૂત કરશે.
ઓબામાએ આગળ લખ્યું છે કે એકથી વધારે રાજનીતિક પર્યવેક્ષકોનું માનવું છે કે સોનિયા ગાંધીની મનમોહન સિંહની પસંદગી યોગ્ય હતી. કેમ કે એક વૃદ્ધ શીખ તરીકે તેમની પાસે કોઈ રાષ્ટ્રીય રાજનીતિક આધાર નહોતો. તેમનાથી તેમના 40 વર્ષના દીકરા રાહુલને કોઈ ખતરો નહોંતો. જેને તે કોંગ્રેસ પાર્ટીને સંભાળવા માટે તૈયાર કરી રહ્યા હતા.