ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શુક્રવારે રાતે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા 4ના મોત થયા અને અનેક ઘાયલ થયા છે.
ટ્રકે ટ્રેક્ટરની ટ્રોલીને જબરજસ્ત ટક્કર મારી
4 લોકોના સ્થળ પર જ મોત થયા
ટ્રક ડ્રાઈવરને બચાવવા જેસીબીની મદદ લેવી પડી
ટ્રકે ટ્રેક્ટરની ટ્રોલીને જબરજસ્ત ટક્કર મારી
ઉત્તર પ્રદેશના બારાબાકીમાં શુક્રવારે રાતે દેવા થાના વિસ્તારના બદરુદ્દીન ગામ પાસે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. જ્યાં શ્રદ્ધાળુઓથી ભરેલ ટ્રૈક્ટર- ટ્રાલી સીતાપુર જિલ્લાના બારાબંકીના મંજીઠામાં સ્થિત નાગ દેવતાના મંદિર જઈ રહી હતી. આ તમામ શ્રદ્ધાળુઓ ગુરુપૂર્ણિમાના પ્રસંગે મંદિર દર્શન માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સ્પીડમાં આવી રહેલા ટ્રકે ટ્રેક્ટરની ટ્રોલીને જબરજસ્ત ટક્કર મારી હતી. આ અથડામણમાં ટ્રક અને ટ્રોલી પલટી ગયા હતા.જેમાં સવાર ચાર શ્રદ્ધાળુંઓના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે લગભગ 3 ડર્ઝન શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા, જેમા અનેક મહિલાઓ સામેલ હતી. અનેક લોકોની સ્થિતિ ગંભીર છે.
ટ્રક ડ્રાઈવરને બચાવવા જેસીબીની મદદ લેવી પડી
તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે દેવા સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાંથી પ્રાથમિક ઉપચાર બાદ ગંભીર ઘાયલોને બારાબંકી જિલ્લા હોસ્પિટલ અને લખનૌ ટ્રોમાં સેન્ટર રિફર કરવામાં આવ્યા છે. ઘાયલોએ જણાવ્યું કે ઘટના એટલી ગંભીર હતી કે સ્થળ પર ચીખોનો અવાજ દૂર સુધી સંભળાઈ રહ્યો હતો સ્થળ પર તડપી રહ્યા હતા એ લોકો. ટ્રકનો ડ્રાઈવર પણ ફસાઈ ગયો હતો. તેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો.
4 લોકોના સ્થળ પર જ મોત થયા
બારાબંકીના પોલીસ અધિક્ષક યમુના પ્રસાદે જણાવ્યું કે આ ઘટનામાં 4 લોકોના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે. જેમને પ્રાથમિક સારવાર માટે દેવા સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાંથી પ્રાથમિક ઉપચાર બાદ ગંભીર ઘાયલોને બારાબંકી જિલ્લા હોસ્પિટલ અને લખનૌ ટ્રોમાં સેન્ટર રિફર કરવામાં આવ્યા છે. એસપીએ જણાવ્યું કે તમામ ઘાયલોને સારી સારવાર આપવામાં આવી રહી છે.એસપીએ જણાવ્યું કે ઘટનામાં ટ્રક ડ્રાઈવર સંપૂર્ણ રીતે ફસાઈ ગયો હતો. તેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.