દેશભરમાં અનલૉક બાદ મંદિરો ખુલી રહ્યા છે ત્યારે ગુજરાતના મોટા મંદિરોને પણ ખોલવામાં આવ્યા છે. ભગવાન દ્વારકાધીશ, સોમનાથ મહાદેવ મંદિર, અંબાજી મંદિર વગેરે મંદિરોને ખોલવામાં આવ્યા છે. આ મંદિરોમાં ભાવિકો માટે ખાસ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. જોકે BAPSના મંદિરો હજુ સુધી ખોલાયા ન હતા. ત્યારે હરિભક્તો માટે BAPSએ મહત્વની જાહેરાત કરી છે.
દેશભરમાં BAPSના મંદિરો 17મી જૂનથી ખોલાશે
સવારે 8થી 11 અને સાંજના 4 થી 6 સુધી થશે દર્શન
BAPS સ્વામિનારાયણ મંદિર દર્શન અંગેની કરાઇ જાહેરાત
હરિભક્તો માટે BAPS (બોચાસણવાસી અક્ષર પુરુસોતમ સ્વામીનારાયણ સંસ્થા) દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાં BAPSના મંદિરો 17મી જૂનથી ખોલાશે. સવારે 8થી 11 અને સાંજના 4થી 6 સુધી દર્શન થશે. BAPS સ્વામિનારાયણ મંદિર દર્શન અંગેની જાહેરાત કરવામાં આવી છે. સામાજિક અંતર અને સ્વાસ્થ્ય અંગેના નિયમોનું પાલન કરવાનું રહેશે.
આ અગાઉ અનલૉક બાદ પણ BAPS દ્વારા મંદિરો ખોલવામાં આવ્યા ન હતા. જેમાં જાહેરાત કરાઇ હતી કે, દેશભરમાં 15 જુન સુધી BAPS સંસ્થાના મંદિરો ખુલશે નહીં. જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 15 જુન સુધીની સ્થિતિને લઈ આગામી નિર્ણય લેવામાં આવશે. ત્યારે આજ રોજ આ અંગે નિર્ણય લેવાઇ ચૂક્યો છે. દેશભરમાં BAPSના મંદિરો 17મી જૂનથી ખોલાશે.