સમગ્ર દેશમાં નવા વર્ષની ફટાકડા ફોડીને ઊજવણી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના રાજકોટ શહેરમાં પણ BAPS સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષની ઊજવણી કરવામાં આવી છે.
રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષે અન્નકૂટ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ. આ દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે પહોચ્યા હતા. 1500 કિલોથી વધુની મિઠાઈઓ અને ફરસાણ ભગવાનનો ધરાવવામાં આવ્યો છે.
આ મહોત્સવના દર્શન કરવા માટે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈવાળા પણ રાજકોટની મુલાકાતે આવશે.