UAEમાં તૈયાર થઈ રહેલા BAPSના મંદિરનો આજે શિલાન્યાસ કરવામાં આવશે.મહંત સ્વામીના હસ્તે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાતથી 50થી વધુ સંતો જોડાયા છે. સાથે જ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાય તેવી શક્યતા છે. UAE સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી.. આ મંદિરનો શિલાન્યાસ દુબઈના સમય પ્રમાણે સાંજે 7 વાગે અને ભારતના સમય પ્રમાણે રાત્રે સાડા આઠ વાગે થશે. મહત્વનુ છે કે, મહંત સ્વામી શુક્રવારે દુબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં UAE સરકારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું.ભારતીય પારંપારિક મુજબ તેમને વેશભૂષામાં સજ્જ બાળકોએ સ્વામીજી પર પુષ્પવર્ષા કરી અભિવાદન કર્યું..