કથાકાર મોરારી બાપુનાં સ્વામિનારાયણ સંપ્રદાય પર વિવાદાસ્પદ નિવેદને હજી શમવાનું નામ નથી લીધું. મોરારી બાપુએ અગાઉ થોડાંક દિવસ પહેલા નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક અને સંપ્રદાયનાં નીલકંઠ એ બનાવટી નીલકંઠ હોવાનું નિવેદન આપ્યું હતું. જેને લઈને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ-સંતોમાં અને હરિભક્તોમાં નારાજગી વ્યાપી હતી. જેથી તેઓનાં આ નિવેદનની ટીકા થઈ રહી છે.
જો કે તેમનાં આ વિવાદાસ્પદ નિવેદનને BAPSનાં અક્ષરવત્સલ સ્વામી (Aksharvatsal Swami) એ મોરારી બાપુનાં નિવેદનને વખોડ્યું છે. તેમણે મોરારી બાપુનાં નિવેદનથી ભક્તોની લાગણી દુભાઇ હોવાનું જણાવ્યું. મોરારી બાપુનાં નિવેદન બાદ સંપ્રદાયમાંથી તેનો સતત વિરોધ થઈ રહ્યો છે. તેઓએ કહ્યું કે, સૌ કોઇ સ્વામિનારાયણ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણની તેઓ જાહેરમાં માફી માંગે તેવી માંગણી કરી રહ્યાં છે.
મોરારી બાપુ (Morari Bapu) એ નીલકંઠ અને નીલકંઠવર્ણી વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું જેને લઈને આ વિવાદ સર્જાયો છે. મોરારીબાપુએ નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક અને સંપ્રદાયનાં નીલકંઠ એ બનાવટી નીલકંઠ હોવાનું નિવેદન આપ્યું હતું. જેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ-સંતોમાં અને હરિભક્તોમાં નારાજગી વ્યાપી છે.
ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત અગાઉ આ નિવેદનને લઇને મણીનગરમાં આવેલા સ્વામિનારાયણ કુમકુમ મંદિરનાં પ્રેમવાસ્તલ્ય સ્વામીએ પણ કહ્યું હતું કે 'મોરારીબાપુ પ્લેનમાં અને આગબોટમાં બેસીને કથા કરીને પબ્લીસીટી મેળવે છે પણ તેઓએ ક્યારેય ઉપવાસ નથી કર્યા. એટલું જ નહીં તેઓનાં વિશે પણ સ્વામિનારાયણ સંપ્રદાય પણ ઘણું બધું જાણે છે પણ અમારા સંસ્કારોમાં નથી કે કોઈની લીટી ટુંકી કરીને અમારી મોટી કરીએ.' જો કે મહત્વનું છે બાદમાં મોરારી બાપુએ આ નિવેદનને લઇને માફી પણ માંગી હતી અને મિચ્છામી દુક્કડમ કહીને જણાવ્યું હતું કે જો આ નિવેદનથી કોઇની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું.'