સિંગર બપ્પી લહેરીનું 69 વર્ષની ઉંમરે દુખદ નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને હોસ્પિટલમાંજ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લાહિરીનું નિધન રાત્રે લગભગ 11 વાગે થયું હતું. બપ્પી લાહિરી ઘણા સમયથી બીમાર હતા અને ક્રિટી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. દીપક નામજોશીએ જણાવ્યું હતું કે "લહરીને એક મહિના માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે તેમની તબિયત બગડતાં તેમના પરિવારજનો ડૉક્ટરને તેમના ઘરે લઈ ગયા. ત્યાર બાદ ફરી તેમને હૉસ્પિટલમાં પાછા લાવવામાં આવ્યા. તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ઓએસએ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ને કારણે મધરાતના થોડા સમય પહેલા તેમનું અવસાન થયું હતું."
તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ બોલીવૂ઼માં શોકનું મોજું ફરી વળ્યું છે. થોડાક દિવસ પહેલાજ લતા મંગેશકરનું નિધન થયું હતું ત્યારે વધુમાં બપ્પી લહેરીનું નિધન થયું છે. જેના કારણે આખી ઈન્ડસ્ટ્રી અત્યારે શોકમાં છે.
Veteran singer and composer Bappi Lahiri passed away, CritiCare Hospital in Mumbai has confirmed
મોતનું ચોક્કસ કારણ હજું સામે નથી આવ્યું
જોકે તેમનું નિધન કેવી રીતે થયું તે કારણ હજું સામે નથી આવ્યું. પરંતુ બપ્પી લહેરીના નિધનના સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો મોટો ઝટકો લાગ્યો સાથેજ તેઓ જાણવા માગે છે. તે આખરે તેમને થયું શુ હતું
તેઓના સોનાના આભૂષણોના જબરા શોખીન હતા. સાથે ચશ્માનો પણ તેઓને ભારે શોખ હતો. તેઓ હંમેશા એક અનોખા અંદાજમાં જોવા મળતા હતા અને તેમના ગીતો પણ એટલા જ લોકપ્રિય રહેતા. 90 ના દશકના અનેક લોકપ્રિય ગીતોના સંગીતકાર અને ગાયક તેઓ રહી ચૂક્યા છે.