બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામે ત્રણ દિવસ અગાઉ થાંભલે લટકતી લાશ મળી આવી હતી જોકે લાશ ને લઈને પરિવાર જનોએ હત્યા ના આક્ષેપો કર્યા હતા અને 300થી વધુ મજીરાના સમાજ ના લોકો ના ટોળા આરોપીના ઝડપાય ત્યાં સુધી પાંથાવાડા સામો સામુહિક આરોગ્ય કેન્દ્ર ધરણાં પર બેઠા
300થી વધુ મજીરાના સમાજના લોકો ધરણા પર
લટકતી લાશ મળી આવતા ચકચાર
સાજ સુધી લાશ થાભલે જ લટકતી રહી હતી
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા હાઇવે પર આવેલ સી.એન.જી.પમ્પ ની સામે આવેલા ખેતર માં વીજ થામળા પર દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલત માં પ્રકાશભાઇ હંસાજી માજીરાણા ની લટકતી લાશ ને તેમના પત્ની ગંગાબેન પ્રકાશ ભાઈ માજીરાણા એ જોતાં તેમણે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં જ પાથાવાડા પોલીસ ધટના સ્થળ પર પહોંચી હતી.
લટકતી લાશ મળી આવતા ચકચાર
પાથાવાડા હાઈવે પર સાતરવાડા ના મશરૂ ભાઈ પટેલના ખેતરમા રાજસ્થાન ના રેવદર તાલુકાના મગરીવાડા ના રહેવાસી પ્રકાશ ભાઈ હંસાભાઈ માજીરાણા ભાગીયા તરીકે કામ કરતાં હતાં. તેઓની 3 દિવસ અગાઉ વહેલી સવારે બાજુના ખેતરમાં આવેલ વિજ થાભળા પર દોરીની મદદથી લટકતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
સાજ સુધી લાશ થાભલે જ લટકતી રહી હતી
પાથાવાડા પોલીસ ને જાણ થતા જ પાથાવાડા પોલીસ ધટના સ્થળ પર પહોંચી હતી રાજસ્થાન ના મગરીવાડા થી તેમના પરિવાર જનો ને ખબર પડતાં પરિવાર જનો તાબડતોબ સ્થળ પર દોડી આવતા જ તેમને લટકતી લાશ જોતાં જ હત્યા નો આરોપ લગાવી લાશ સ્વીકારની ના પાડતા મોડી સાજ સુધી લાશ થાભળે જ લટકતી રહી હતી
ધારાસભ્ય અને આગેવાનોએ તટસ્થ તપાસ થાય તેવી માગણી કરી
ત્યારબાદ સાજે પાથાવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી લાશને થાભળા પર થી ઉતારી પાથાવાડા રેફરલ હોસ્પિટલ માં પી. એમ. અર્થ લઈ ગયા ત્યારે પરિવારે પેનલથી પીએમ કરવાની માગણી કરી અને હત્યાનો ગુનો નોંધી તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ચાર દિવસ સુધી ધરણા પર બેસી રહ્યા હતા ત્યારે રાજસ્થાનના ધારાસભ્ય જકશીરામ કોળી અને ભીલ સમાજ ના આગેવાનો ધરણાં ઉપર બેઠા હતા સમગ્ર મામલે ધારાસભ્ય અને આગેવાનોએ તટસ્થ તપાસ થાય તેવી માગણી કરી.
સામાજિક આગેવાનોએ લાશ સ્વીકારી હતી
જોકે પરિવાર જનોએ જ્યા સુધી હત્યાનો ગુનો ના નોંધાય અને આરોપીને ઝડપી ના લાવે ત્યાં સુધી સમાજના લોકો ચાર દિવસ સુધી ધરણા પર બેસી રહ્યા હતા અને લાશ સ્વીકારી નોહતી જ્યારે પોલીસે યોગ્ય તપાસ ની ખાતરી આપતા અંતે પાંચમા દિવસે પરિવાર જાણો અને સામાજિક આગેવાનોએ લાશ સ્વીકારી હતી