બનાસકાંઠા: કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું છે કે રાતે 12 વાગે પણ એકલો ફરું છુ જેને મારવો હોય તે આવી શકે છે.
મહત્વનું છે કે આ પહેલા અલ્પેશ ઠાકોરના કથિત વિવાદિત નિવેદન વિવાદ થયો હતો. જેના પર યુપીના લોકો દ્વારા અલ્પેશ ઠાકોરનુ માથું વાઢી લાવવા વાળા પર ઈનામની જાહેરાત કરવામાં આવી. આ મામલે હવે અલ્પેશ ઠાકોર નિવેદન આપીને ફરી વિવાદમાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય આ પહેલા પણ વિવાદીત ટિપ્પણી આપવા મુદ્દે ચર્ચામાં આવી ચુક્યા છે. આ પહેલા બિન ગુજરાતી પર થયેલ હુમલા સમયે ખુબ જ ચર્ચામાં આવ્યા હતા.
ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં અલ્પેશ ઠાકોર પર ઇનામ જાહેર કરવામાં આવ્યુ છે. મહારાણી પદ્માવતી યુથ બ્રિગ્રેડે અલ્પેશ પર ઇનામ જાહેર કર્યું છે. અલ્પેશ ઠાકોરના માથા બદલે રૂપિયા 1 કરોડના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં પોસ્ટર લાગ્યા છે.
જો કે આ મામલે તાજેતરમાં કોંગ્રેસી નેતાએ ફરીવાર એક વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે રાતે 12 વાગે પણ એકલો ફરું છુ જેને મારવો હોય તે આવી શકે છે. તેમના ફરીવાર આ પ્રકારના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.