મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગઈકાલે રાત્રે મુંબઈના જુહૂમાં સ્થિત બોલિવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા બંગલાની બહાર એક બેનર લગાવી દીધી છે. બેનરમાં લખ્યું છે Big B Show Big Heart પ્રતીક્ષા સંત જ્ઞાનેશ્વર રાસ્તાને પહોળો કરવા માટે બીએમસી અને લોકોની મદદ કરો.
શું છે સંપૂર્ણ ઘટના?
અમિતાભ બચ્ચના ઘરની એક દિવાલને તોડવાની તૈયારી મુંબઈમાં થઈ રહી છે. મુંબઈ મહાનગર પાલિકા અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત બંગલા પ્રતીક્ષાની એક તરફની દિવાલ તોડવાની તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2017માં જ અમિતાભ બચ્ચનને બીએમસીએ નોટિસ મોકલી દીધી હતી પરંતુ બિગ બીએ અત્યાર સુધી આ નોટિસ પર કોઈ જવાબ નથી આપ્યો.
60 ફૂટનો થશે રસ્તો
BMC એક્ટરના બંગલાની દિવાલ તોડીને 60 ફૂટ પહોળો રસ્તો બનાવવા માંગે છે. હાલમાં આ રોડની પહોંળાઈ માત્ર 45 ફૂટ છે. અમિતાભ બચ્ચનના ઘરની સામે ટ્રાફિક જામ થઈ જાય છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોર્ટ જઈ ચુક્યા છે અમિતાભ
તમને જણાવી દઈએ કે બીએમસી પાસેથી નોટિસ મળ્યા બાદ એક્ટર આ મામલે કોર્ટ જઈ ચુક્યા છે. કોર્ટે આ મામલા પર પોતાનો નિર્ણય સંભળાવતા આ કામ પર રોક લગાવી દીધી હતી. પરંતુ ગયા વર્ષે કોર્ટે આ કામને ફરી શરૂ કરવાની વાત કહી હતી.