ભારતની કેન્દ્રીય બેન્ક દ્વારા ભારતના ટોચના 100 ડિફૉલ્ટરની 62000 કરોડની લોન માફ કરી દેવામાં આવી છે.
ટોપ 100 ડિફૉલ્ટરના હજારો કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા
જેમની લોનમાફી થઈ તેમાં Winsome Diamonds ટોપમાં
મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ ધરાવે છે સૌથી વધુ NPA
ડિફૉલ્ટર્સની દેવામાફી
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ભારતના 100 મોટા દેવાદરોની લોન માફ કરવામાં આવી છે અને જે કંપનીઓની લોન માફ કરવામાં આવી છે તેમાં જતીન મેહતાની કંપની ટોપમાં છે. રિઝર્વ બેન્ક દ્વારા એક રીપોર્ટ અનુસાર ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 100 મોટા વિલફૂલ ડિફૉલ્ટર્સની લોન જતી કરવામાં આવી છે જેની કુલ કિંમત રૂપિયા 62,000 કરોડ થાય છે.
After much hide-and-seek game & data manipulation by @RBI, finally the cat is out of the bag #RTI, list of TOP 100 Wilful defaulters & Written off ₹ has to disclose. In 2019 ₹58375Cr. in 2020 ₹61949Cr. of public money just gifted to those scammers & fraudsters. @DasShaktikanta
— Biswanath Goswami, The People's Advocate (@bgtpa1) February 4, 2021
મેહુલ ચોક્સીની કંપની ધરાવે છે સૌથી વધારે NPA
RTIમાં વધુ એક મોટો ખુલાસો થયો છે કે લોન ચુકવ્યા વગર દેશમાંથી ભાગી ગયેલા મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ ડિફૉલ્ટરની લિસ્ટમાં ટોચના ક્રમે છે અને કંપનીની NPA પાંચ હજાર કરોડથી પણ વધારે છે. કંપનીની 622 કરોડની લોન માફ કરવામાં આવી છે.
માલ્યા સહિતની આ કંપનીઓને રાહત
બિશ્વનાથ ગોસ્વામી દ્વારા એક RTI દાખલ કરવામાં આવી હતી જે બાદ આ માહિતીઑ બહાર આવી છે. જે કંપનીઓની લોન માફ કરવામાં આવી છે તેમાં Winsome Diamondsની 3,098 કરોડ રૂપિયાની લોન જતી કરવામાં આવી છે અને આ યાદીમાં આગળ બાસમતી રાઈસ બનાવટી કંપની REI Agroની 2,789 કરોડ, કેમિકલ બનાવતી Kudos Chemieના 1,979 કરોડ રૂપિયા તથા કન્સ્ટ્રક્શન કંપની Zoom Developersના 1,927 કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે.
બેન્ક દ્વારા જે કંપનીઓની લોન માફી કરવામાં આવી છે તેમાં ભાગેડુ વિજય માલ્યાને પણ રાહત મળી છે. વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સની 1,314 કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી છે. આ સિવાય ABG Shipyard કંપનીની પણ 1,875 કરોડની લોનમાફી થઈ છે.
કઈ રીતે થાય છે આ લોનમાફી?
નોંધનીય છે કે NPA પર જ આ લોન માફ કરવામાં આવે છે. ઘણીવાર બેન્ક લોનની રિકવરી કરે ત્યારે રિકવરીની બધી તકો સમાપ્ત થઈ જાય ત્યારે તે લોનની રકમને માફ કરે છે જેને Loan Write off કહેવામાં આવે છે. આમ કરવાથી બેન્કોને NPA ઓછી કરવામાં મદદ મળે છે.
નોંધનીય છે કે રિઝર્વ બેન્ક હવે NPAનો નિકાલ કરવા માટે લોનને Write off (માફ કરવી) કરવામાં આવી રહી છે. ગયા વર્ષે 9.1% NPA હતી જે આ વર્ષે ઘટીને 8.2% થઈ છે કારણ કે વર્ષ 2020માં 2.38 લાખ કરોડ રૂપિયાની NPA એટલે કે લોન માફ કરી દેવામાં આવી હતી.