નાણા મંત્રી નિર્મલા સિતારમણને અર્થતંત્રને લઈને પૂર્વ પીએમ મનમોહનસિંહ અને પૂર્વ આર.બી.આઈ.ના ગવર્નર રઘુરામ રાજન પર કટાક્ષ કર્યા છે. નિર્મલા સિતારમણને ન્યૂયોર્કમાં કોલંબિયા યૂનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેયર્સના એક લેક્ચરમાં આ કટાક્ષ કર્યો.
નિર્મલા સીતારમણનું અર્થતંત્રને લઇ નિવેદન
પૂર્વ PM મનમોહનસિંહ અને પૂર્વ RBI ગવર્નર પર કર્યો કટાક્ષ
તેમણે કહ્યું કે, પૂર્વ પીએમ મનમોહનસિંહ અને પૂર્વ આર.બી.આઈ.ના ગવર્નર રઘુરામ રાજન પર કટાક્ષ કરતા કહ્યુ્ં કે, બંનેના સમયમાં બેન્કિંગ સિસ્ટમને ખરાબ દિવસો જોયા. તમામ સરકારી બેંકોને ફરીથી ઉભી કરવાની અમારી પહેલી ડ્યૂટી છે.
હું રઘુરામ રાજનને એક મોટા સ્કોલર તરીકે સમ્માન કરૂ છું : નિર્મલા સિતારમણ
હું રઘુરામ રાજનને એક મોટા સ્કોલર તરીકે સમ્માન કરૂ છું, કે આવી સ્થિતિમાં પણ તેઓ આર.બી.આઈ.ના ગવર્નર બન્યા. જ્યારે અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી હતી. રઘુરામ રાજન એ સમયે આ.બી.આઈ.ના ગવર્નર હતા.
રાજકીય નેતાઓના એક ફોન કોલથી બેંક લોન પાસ થતી
જ્યારે રાજકીય નેતાઓના એક ફોન કોલ પર સરકારી બેંકોમાંથી લોન પાસ થઈ જતી અને તેની સજા બેંકો હાલ પણ ભોગવી રહી છે. મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે મને એ વાતનો વિશ્વાસ હતો કે રઘુરામ રાજન આ વાતથી સહેમત હશે કે મનમોહનસિંહની પાસે એક સુસંગત સ્પષ્ટ દ્રષ્ટિકોણ હશે.
ભારત વેનેઝુએલાથી ઓઇલની આયાત કરશે
યુનાઇટેડ સ્ટેટ્સે આ વર્ષે જાન્યુઆરીમાં વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પર સૌથી કડક પ્રતિબંધ લાદ્યો હતો. યુ.એસ.ના આ પગલાથી કેટલાક વૈશ્વિક ગ્રાહકો વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનું પાછું ખેંચી શક્યા છે.
પરંતુ ભારતીય રિફાઇનર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારે તેલના કેટલાક વૈકલ્પિક સપ્લાયર્સ પાસેથી રશિયન કંપની રોઝેફ્ટ પાસેથી વેનેઝુએલા ક્રૂડ ખરીદી રહી છે. કંપની વેનેઝુએલાથી ચાર મહિના પછી ક્રૂડ તેલનું લોડિંગ ફરી શરૂ કરશે. ભારત સરકારે યુએસને આ અંગે માહિતી આપી છે.