જો તમારા એટીએમમાંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાઈ જાય તો નિયમો અનુસાર બેંકે ગ્રાહકોને એટીએમ સીસીટીવી ફુટેજ ઉપલબ્ધ કરાવવું પડશે. આ નિર્દેશ સ્ટેટ કન્ઝ્યુમર કમિશને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઇ)ના નિયમોને ટાંકીને આ કહી છે. કમિશને બેંક પર 25 હજાર રૂપિયા દંડ લગાવવાની સાથે ગ્રાહકને 20 હજાર રૂપિયા ઓક્ટોબર 2015થી લઈને અત્યાર સુધી છ ટકા વ્યાજ સાથે પરત આપવા આદેશ આપ્યો છે.
બેંકોને આ ભૂલ પડશે ભારે
એટીએમમાંથી પૈસા નહીં નીકળે તો ઉપલબ્ધ કરાવવું પડશે સીસીટીવી ફુટેજ
નહીંતર બેંકને ભરવો પડશે દંડ
કરાવલ નગરના રહેવાસી રામ કુમાર ભારદ્વાજે યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાથી શેરપુર સ્થિત શાખાના મેનેજર અને એટીએમ મેન્ટેનન્સ શાખા સામે કેસ દાખલ કર્યો હતો. ફરિયાદ અનુસાર 27 ઓક્ટોબર, 2015એ રામ કુમાર ભારદ્વાજે અશોક વિહાર ખાતેના એટીએમમાંથી 20,000 રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પૈસા ઉપાડવાની પ્રક્રિયા દરમ્યાન મશીનમાં નોટોની ગણતરી થઈ પરંતુ પૈસા બહાર આવ્યા નહીં. એટીએમ મશીનની સ્ક્રીન પર લખેલું આવ્યું કે બેંકે કાર્ડ બ્લોક કરી દીધો છે. પછી રામે તરત જ કસ્ટમર કેરમાં કોલ કરીને ફરિયાદ કરી. ત્યાંથી કહેવામાં આવ્યું કે બેંક શાખાનો સંપર્ક કરો.
બીજા દિવસે જ્યારે બેંક શાખાનો સંપર્ક કર્યો તો ત્યાંથી જવાબ મળ્યો કે ખાતામાંથી 20 હજાર રૂપિયા કપાઈ ચૂક્યા છે. ભારદ્વાજે પૈસા ન મળ્યા હોવાની વાત કહી અને ફરિયાદ નોંધાવી. સાથે જ ઘણીવાર બેંકને ઈમેલ કરીને સીસીટીવી ફુટેજ પણ માંગી. પછી બેંક તરફથી તેને કેટલાક ફોટોઝ મોકલવામાં આવ્યા.
કન્ઝ્યુમર કમિશને જ્યારે કેસની સુનાવણી દરમિયાન બેંક પાસે પુરાવા માંગ્યા તો બેંક પુરાવા રજૂ કરી શક્યું નહીં. કમિશનના અધ્યક્ષ ન્યાયાધીશ સંગીતા ધિંગરા સહગલે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો. તેમણે કહ્યું કે એનપીસીઆઈએ 26 માર્ચ 2013એ એક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં જણાવાયું છે કે જો એટીએમમાંથી રોકડ ઉપાડવામાં નહીં આવે તો ગ્રાહકે સીસીટીવી ફુટેજ આપવાના રહેશે. આ કિસ્સામાં ગ્રાહકોએ ફુટેજ માટે ઘણી વખત ઇમેલ કર્યા, પરંતુ બેંકે ફુટેજ ઉપલબ્ધ કરાવી નહીં અને તેના બદલે, એવી તસવીરો મોકલી જેનાથી પૈસા ઉપડ્યા છે કે નહીં તે અંગે કંઈ સ્પષ્ટ થયું નહીં. એવામાં બેંકે ગ્રાહકોના પૈસા અને સેવામાં બેદરકારીને કારણે દંડ ચૂકવવું પડશે.