બેંકના ATM મામલે મોટા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં તમારું ATM કાર્ડ કામ કરતું બંધ થઈ શકે છે. વાસ્તવમાં મેગ્નેટિક સ્ટ્રાઇપવાળા કાર્ડ બેંક કરવાનું પ્લાનિંગ કરી રહી છે. એની જગ્યાએ ચીપવાળા કાર્ડ વપરાશમાં આવશે. હાલમાં દેશમાં બે પ્રકારના કાર્ડ છે મેગ્નેટિક સ્ટ્રાઇપવાળા અને ચીપવાળા.પરંતુ હવે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ બંધ કરી દેવામાં આવશે ચીપવાળા કાર્ડ તેમણે રિપ્લેસ કરી દેશે. RBIના આદેશ પ્રમાણે બેંક મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડ બંધ કરી રહી છે. આ કાર્ડ રિપ્લેસની ડેડલાઇન ડિસેમ્બર 2018 છે. RBIએ આ પગલું ગ્રાહકોના ATM-ડેબિટ અને ક્રેડિટ કાર્ડને સિક્યોર કરવા માટે ઉઠાવ્યું છે.
જૂની ટેક્નોલોજી છે મેગ્નેટિક સ્ટ્રાઇપ:
RBI અનુસાર મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડની ટેકનોલોજી હવે જુની થઈ ગઈ છે. આ કાર્ડ સંપૂર્ણરીતે સિક્યોર નથી જેના કારણે એનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. હવે એની જગ્યાએ EMV ચિપ કાર્ડને તૈયાર કરવામાં આવ્યું છે. હવે તમામ જુના કાર્ડને નવા ચિપ કાર્ડથી બદલી દેવામાં આવશે.
2016માં RBIએ આપ્યો હતો આદેશ:
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ 2016માં તમામ બેંકોને આદેશ આપ્યો હતો કે ગ્રાહકોના સામાન્ય મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડને ચિપવાળા કાર્ડથી રિપ્લેસ કરી દેવામાં આવે. આ માટે ડિસેમ્બર 2018ની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી. આજ કારણથી બેંક હવે ચીપવાળા ATM કાર્ડ અને ડેબિટ કાર્ડ જારી કરી રહી છે. ગ્રાહકોને આ બાબતની સૂચના આપવામાં આવી છે કે તેઓ જૂના કાર્ડને રિપ્લેસ કરી દે.
નહીં હોય કોઇ ફી:
જો તમે SBIના ગ્રાહક હો તો બહુ જલ્દી તમારું કાર્ડ બદલાવી લો કારણ કે SBI મેગ્નેટિક સ્ટ્રાઇપ ATMને બ્લોક કરી રહી છે અને બેંકે ગ્રાહકોને કાર્ડ બદલાવાનું નોટિફિકેશન પણ આપી દીધું છે. હાલમાં બેંક ચીપવાળા કાર્ડ માટે અલગથી કોઈ ચાર્જ નથી લઈ રહી. જોકે કાર્ડને ત્યારે જ બ્લોક કરવામાં આવશે જ્યારે તેની એક્સપાયરી ડેટ આવવાની હોય.
ચીપવાળા કાર્ડ વધારે સિક્યોર:
ચીપવાળા કાર્ડ વધારે સિક્યોર છે કારણ કે એમાં ડેટા ચોરી થવાની આશંકા નથી. આવા કાર્ડમાં ગ્રાહકની વિગતો ચીપમાં હોય છે જેને કોપી નથી કરી શકાતી. ચીપવાળા કાર્ડમાં દરેક ટ્રાન્ઝેક્શન માટે એક ઇન્સ્ક્રિપ્ટેડ કોડ જનરેટ થાય છે જેને તોડવાનો બહુ મુશ્કેલ છે. આ કારણે ચીપવાળા કાર્ડ વધારે સેફ છે. આ કારણોસર જ સ્ટ્રાઇપવાળા ATM કાર્ડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.