26-29 સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેશે અને 30 સપ્ટેમ્બરે અર્ધવાર્ષિક સમાપન હોવાના કારણે બેંક ખુલ્લી રહેશે પણ કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. નવરાત્રીની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થઈ રહી છે. તેની સાથે જ તહેવારની સિઝન પણ શરૂ થશે. નવરાત્રિ અને દિવાળીની ખરીદીમાં લોકો જોડાઈ જશે, આ સમયે આપને ખરીદીમાં રોકડની તકલીફ ન પડે માટે પહેલેથી જ વ્યવસ્થા કરી લો.
26- 30 સપ્ટેમ્બર સતત 5 દિવસ બેંક રહેશે બંધ
નવરાત્રિમાં પડી શકે છે કેશની મુશ્કેલી
AT Mમાંથી કેશ કાઢવામાં પડશે મુશ્કેલી
પહેલેથી જ રોકડ રકમની કરી લો વ્યવસ્થા
આ મહિનાના અંતમાં સતત 5 દિવસ બેંક બંધ રહેવાની છે. બેંક બંધ રહેવાથી કેશની મુશ્કેલી રહેશે. બેંક બંધ થતાં પહેલાંથી જ તમે કેશની વ્યવસ્થા કરી લો. જેથી તમને કોઈ મુશ્કેલી ન રહે.
આ રીતે 5 દિવસ બેંકો રહેશે બંધ
26 અને 27 સપ્ટેમ્બરે બેંક કર્મચારીઓની હડતાલ રહેશે. આ કર્મચારીઓ 10 સરકારી બેંકોના વિલયનો વિરોધ કરી રહ્યા છે. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે ચોથો શનિવાર હોવાથી રજા રહેશે અને 29 સપ્ટેમ્બરે રવિવારની રજા રહેશે. સાથે જ 30 સપ્ટેમ્બરે અર્ધવાર્ષિક સમાપન હોવાના કારણે બેંક ખુલ્લી રહેશે પણ કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં.
4 Bank Officers' Trade Union Organisations have proposed to go on a continuous strike from midnight of 25 Sept to midnight of 27 Sept and on an indefinite strike from second week of Nov 2019, against the mergers & amalgamations in banking sector. pic.twitter.com/o3YGUisbAZ
5 દિવસ સતત બેંક બંધ રહેવાના કારણે તેની અસર ATM પર પણ પડશે. એટીએમથી રૂપિયા કાઢવા જાઓ અને તે ખાલી થઈ ગયા હોય તે પણ શક્ય છે. કારણ કે એટીએમની ક્ષમતા હાલ પ્રમાણે 2 દિવસની હોય છે. હડતાલ અને બેંક બંધ હોવાના કારણે તેમાં કેશ ભરી શકાશે નહીં અને ખાતાધારકોને મુશ્કેલી પડશે.
ચેક ક્લિઅર થવામાં લાગશે વધારે સમય
જો તમે આ તારીખોમાં કોઈ ચેક આપશો તો તેને ક્લીઅર થવામાં સમય લાગી શકે છે. કારણ કે 25 સપ્ટેમ્બરનો ચેક 3 ઓક્ટોબર સુધી ક્લીઅર થશે. 1 ઓક્ટોબરે ચેક ક્લીઅર થશે અને પછી 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના કારણે બેંકો બંધ રહેશે. તો શક્ય છે 3 ઓક્ટોબરે ખાતામાં રૂપિયા આવશે.