કોરોના વાયરસ સંક્રમણથી ગ્રાહકોને બચાવવા માટે બેંકો તૈયારી કરી રહી છે. દેશની ઘણી બેંકો હવે ટૂંક સમયમાં કોન્ટેક્ટલેસ એટીએમ મશીન લગાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એટીએમ ટેક્નોલોજી પર કામ કરનાર કંપની એજીએસ ટ્રાંસેક્ટ ટેક્નોલોજીએ નવી મશીન તૈયાર કરી છે. જેમાં તમે તમારી મોબાઈલ એપ દ્વારા ક્યૂઆર કોડ સ્કેન કરીને કેશન કાઢી શકશો.
કોરોના વાયરસ સંક્રમણથી ગ્રાહકોને બચાવવા માટે બેંકોએ કરી તૈયારી
દેશની ઘણી બેંકો કોન્ટેક્ટલેસ એટીએમ મશીનની સુવિધા શરૂ કરશે
ક્યૂઆર કોડ સ્કેન કરીને એટીએમમાંથી કાઢી શકશો પૈસા
રિપોર્ચ મુજબ અત્યારે એટીએમ કાર્ડમાં મેગ્નેટિક સ્ટાઈપ હોય છે. જેમાં ગ્રાહકનો સંપૂર્ણ ડેટા હોય છે. એટીએમ કાર્ડ મશીનમાં એન્ટર કરીને પિન નંબર નાખ્યા બાદ ડેટાને ચેક કરે છે. ત્યારબાદ ગ્રાહકો પૈસા કાઢી શકે છે.
જોકે હવે કોરોના કાળમમાં બેંક કોન્ટેક્ટ લેસ એટીએમ મશીન લાવી રહી છે. જેમાં ગ્રાહકોને એટીએમ મશીન અડવાની જરૂર નહીં પડે. જી હાં, ક્યાંય પણ ટચ કર્યા વિના અને કોઈપણ બટન દબાવ્યા વિના ગ્રાહકો મોબાઈલ ફોનથી કેશ કાઢી શકશે. તેના માટે એટીએમ પર આપેલાં ક્યૂઆર કોડને સ્કેન કરવાનું રહેશે અને પછી મોબાઈલમાં અમાઉન્ટ નાખવાનો રહેશે અને કેશ એટીએમમાંથી નીકળી જશે.
કોન્ટેક્સ લેસ એટીએમ મશીનની જાણકારી આપતા એજીએસ ટ્રાંસેક્ટના સીઈઓ મહેશ પટેલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ક્યૂઆર કોડની મદદથી પૈસા કાઢવા ખૂબ જ સરળ અને સેફ રહેશે. સાથે જ તેનાથી કાર્ડની ક્લોનિંગનો ખતરો પણ રહેશે નહીં. તેમણે જણાવ્યું કે, આ ખૂબ જ ફાસ્ટ સર્વિસ છે. માત્ર 25 સેકન્ડમાં કેશ કાઢી શકાશે. ફિઝિકલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન અત્યારે ખૂબ જ જરૂરી છે અને એટીએમથી પણ સંક્રમણ ફેલાવાનો ખતરો રહેલો છે. એવામાં બેંકોનો આ નિર્ણય ગ્રાહકો માટે ફાયદાકારી સાબિત થશે.