અનેક બેંકો પોતાની નાણાંકીય સ્થિતિ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધારવા માટે 2 નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ નિયમો 1 ઓગસ્ટથી લાગૂ પડશે. આ તારીખથી બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ પર ચાર્જ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે બેંક 3 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપશે. બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra), એક્સિસ બેંક (Axis Bank), કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) અને આરબીએલ બેંક (RBL Bank)માં આ નિયમો 1 ઓગસ્ટથી લાગૂ થશે. નિયમ લાગૂ નહીં કરવા પર ખાતાધારકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
આ બેંકો બદલવા જઈ રહી છે 2 ખાસ નિયમ
મિનિમમ બેલેન્સ અને ટ્રાન્ઝેક્શનના નિયમોમાં આવશે ફેરફાર
નિયમ ભંગ કરવા માટે થશે દંડ, 1 ઓગસ્ટથી લાગૂ થશે નવા નિયમ
જાણો બેંક ઓફ મહારાષ્ટ્રમાં કેટલો દંડ લેવાશે
આ બેંકના ખાતાધારકો પોતાના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવા માટે મેટ્રો અને શહેરી વિસ્તારમાં 2000 રૂપિયા રાખવાના રહેશે. જે પહેલાં 1500 રૂપિયા હતા. 2000 રૂપિયાથી ઓછું બેલેન્સ હશે તો મેટ્રો અને શહેરી વિસ્તારમાં 75 રૂપિયા, અર્ઘ શહેરી વિસ્તારમાં 50 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 20 રૂપિયા પ્રતિ મહિને ચૂકવવાના રહેશે.
બેંક ઓફ મહારાષ્ટ્ર
આ બેંકની દરેક બ્રાન્ચમાં 1 મહિનામાં 3 ટ્રાન્ઝેક્શન બાદ જમા કે નિકાસ કરેલી રકમ પર 100 રૂપિયાનો ચાર્જ લાગશે. આ સાથે લૉકર સુવિધા માટે જમા રાશિને ઘટાડવામાં આવી છે.પરંતુ સાથે જ તેની પેનલ્ટી વધારી દેવામાં આવી છે. બેંકની તરફથી મળતી માહિતી અનુસાર બેંક આ સમયે કોરોના સંકટને કારણે ડિજિટલ બેંકિંગને વધારો અપાવવા માટે અને બેંકમાં ઓછામાં ઓછા લોકો આવે તે માટે આ પ્રયાસ કરી રહી છે. બેંક તેના સર્વિસ ચાર્જમાં પણ કેટલાક બદલાવ કરી રહી છે.
એક્સિસ બેંક
આ બેંકના ખાતાધારકો હવે ઈસીએસ ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા દરેક ટ્રાન્ઝેક્શને લેશે. આ ટ્રાન્ઝેક્શન પહેલાં નિઃશુલ્ક હતું. ખાનગી બેંકોએ 10 અને 20 રૂપિયાના તથા 50 રૂપિયાના બંડલ પર 100 રૂપિયા પ્રતિ બંડલની હેન્ડલિંગ ફી રજૂ કરી છે.
કોટક મહિન્દ્રા બેંકમાં બચત અને કોર્પોરેટ સેલેરી ખાતાધારકો
ડેબિટ કાર્ડ- એટીએમથી મહિનામાં 5 વાર રૂપિયા કાઢ્યા બાદ 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને બિનજરૂરી લેન દેન પર 8.5 રૂપિયાનો ચાર્જ લાગશે. જો એખાઉન્ટમાં બેલેન્સ ઓછું હશે અને ટ્રાન્ઝેક્શન સફળ નહીં થાય તો 25 રૂપિયા ચાર્જ લાગશે. બેંકના ખાતાધારકોને વિભાગ અનુસાર ન્યૂનતમ બેલેન્સ ન રાખવા માટે પેનલ્ટી ભરવાની રહેશે. આ સિવાય દર ચોથા લેવડ દેવડમાં 100 રૂપિયા કેશમાં વ્યવહાર માટેની ફી નક્કી કરવામાં આવી છે.