1 નવેમ્બરથી બેંકથી જોડાયેલા ઘણા એવા ફેરફાર થવા જઇ રહ્યા છે જે તમારા પૈસા પર સીધી અસર નાંખશે. જ્યાં એક બાજુ SBI ડિપૉઝીટ પર વ્યાજના દર બદલાઇ રહ્યા છે.
1 નવેમ્બરથી બદલાઇ રહ્યા છે બેંકના નિયમો
તમારા પૈસા પર સીધી અસર નાંખશે
બેંકના આ નિર્ણયની અસર 42 કરોડ ગ્રાહકો પર પડશે
આવતી કાલથી એટલે કે 1 નવેમ્બરથી બેંકથી જોડાયેવા ઘણા એવા ફેરફાર થવા જઇ રહ્યા છે જે તમારા પૈસા પર સીધી અસર નાંખશે. એક બાજુ SBI ડિપૉઝીટ પર વ્યાજ દર બદલાઇ રહ્યા છે. તો બીજી બાજુ કેટલાક રાજ્યોમાં સરકારી બેંકોને ખોલવા અને બંધ કરવાનો સમય પણ ચેન્જ થઇ રહ્યો છે. ચલો તો તમને જણાવીએ તે 1 નવેમ્બરથી બેંકમાં શું શું બદલાઇ રહ્યું છે.
જો તમે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ગ્રાહક છો તો એક નવેમ્બરથી ડિપૉઝીટ પર વ્યાજના દર બદલાવાના છે. બેંકના આ નિર્ણયની અસર 42 કરોડ ગ્રાહક પર પડશે. SBIની 9 ઑક્ટોબરની જાહેરાત પ્રમાોણે એક લાખ રૂપિયા સુધીની ડિપૉઝીટ પર વ્યાજનો દર 0.25 ટકાથી ઘટીને 3.25 ટકા કરી દેવામાં આવ્યો છે. એક લાખથી વધારેની ડિપૉઝીટ પર ઇન્ટ્રેસ્ટ રેટને રેપો રેટથી જોડવામાં આવી ચુક્યો છે. વર્તમાનમાં આ 3 ટકા છે.
મહારાષ્ટ્રમાં (PSU Banks)નું નવું ટાઇમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે. હવે તમામ બેન્કો એક જ સમયે ખુલશે અને બંધ થશે. બેન્કોનો સમય સવારે 10 થી સાંજના 5 સુધીનો હોય છે, પરંતુ પૈસાની લેવડદેવડ બપોરે 3:30 વાગ્યા સુધીની હોય છે. મહારાષ્ટ્રમાં બેન્કોનું નવું સમયપત્રક બેન્કર્સ સમિતિએ નક્કી કર્યું છે, જેનો અમલ 1 નવેમ્બરથી થશે.
નાણાં મંત્રાલયે બેન્કોના કામકાજના સમય સમાન રાખવાની સૂચના આપી હતી. આ પહેલા એક જ વિસ્તારમાં બેન્કોનો કાર્યકારી સમય અલગ રહેતો હતો. નવા ટાઇમ ટેબલ મુજબ, બેન્કો સવારે 9 વાગ્યે ખુલશે અને બપોરે 4 વાગ્યા સુધી કામ રહેશે. કેટલીક બેન્કોનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો રહેશે.
એસબીઆઇ બેન્કની લોન પરના નવા વ્યાજ દર 8.15 ટકાથી ઘટીને 0.05 ટકા પર આવી ગયા છે. આ નવા દરો 10 ઓક્ટોબરથી અમલમાં આવ્યાં છે. આરબીઆઈના રેપો રેટ ઘટાડ્યા પછી એસબીઆઇ બેન્કે વ્યાજના દરમાં વધારો કર્યો છે.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ દિવાળી પર લોકોને બીજી ભેટ આપી હતી. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ રેપો રેટ 5.40 ટકાથી નીચે 5.15 ટકા પર આવી ગયો છે. એસબીઆઈ બેન્કની લોન પર નવા વ્યાજ દર 8.15 ટકાથી ઘટીને 8.05 ટકા પર આવી ગયા છે. આ નવા દરો 10 ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે.