31 માર્ચ 2021 સુધી ભારતની બેન્કોમાં કુલ 5 લાખ કરોડનો ફ્રોડ થયો હોવાનું આરટીઆઈ અરજીમાં બહાર આવ્યું છે.
આરટીઆઈ અરજીમાં સામે આવ્યાં ચોંકાવનારા આંકડા
ભારતની બેન્કોમાં કુલ 5 લાખ કરોડનો ફ્રોડ થયો
એસબીઆઈમાં સૌથી વધારે રુ. 78,072 કરોડનો ફ્રોડ
ખાનગી સેક્ટરની બેન્કોને પણ ચૂનો લાગ્યો
અરજદાર સૌરભ પાંધરેએ આરટીઆઈ એક્ટ હેઠળ એક અરજી કરીને આરબીઆઈ પાસેથી જાણવા માંગ્યું કે બેન્કોમાં કુલ કેટલા કરોડનો ફ્રોડ થયો છે.
90 બેન્કો અને નાણાકીય સંસ્થાનોમાં 45,613 લોન ફ્રોડના કેસો
અરજદાર પાંધરેને આપેલી માહિતીમાં આરટીઆઈએ આ ચોંકાવનારા ડેટા પૂરા પાડ્યાં છે. ડેટામાં એવું પણ જણાવાયું છે કે 31 માર્ચ 2021 સુધી 90 બેન્કો અને નાણાકીય સંસ્થાનોમાં કુલ 45,613 લોન ફ્રોડના કેસો સામે આવ્યા છે.
સૌથી વધારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં ફ્રોડ થયો
સૌથી વધારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં ફ્રોડ થયો છે. 31 માર્ચ 2021 સુધી એસબીઆઈમાં સૌથી વધારે રુ. 78,072 કરોડનો ફ્રોડ થયો છે ત્યાર બાદ પંજાબ નેશનલ બેન્કનો વારો આવે છે. પીએનબીમાં રુ. 39,733 કરોડનો ફ્રોડ થયો છે.
ICICI Bank માં 5.3 ટકા ફ્રોડ
ખાનગી ક્ષેત્રની બેન્કોની વાત કરીએ તો ICICI Bank માં 5.3 ટકા, યસ બેન્કમાં 4.02 ટકા અને એક્સિસ બેન્કમાં 2.54 ટકા ફ્રોડના કેસો સામે આવ્યાં છે.