હવે બેંક ગ્રાહકોને કોઇ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરવું ફ્રી રહેશે નહીં. બેંક પોતાના ગ્રાહકોને આપવામાં આવતી દરેક સર્વિસ પર ચાર્જ લગાવવાની માંગ કરી રહ્યા છે. એવામાં બેંકોમાંથી પૈસા નિકાળવા જમા કરવા એટીએમથી થનાર ટ્રાન્ઝેક્શન મિનિમમ અકાઉન્ટ બેલેન્સ રાખવું અને ચેકબુકનો ઉપયોગ કરવો ખૂબ મોંઘો થઇ શકે છે.
આ કારણોથી લાગશે ચાર્જ
દેશની મહત્વની બેંકો જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એચડીએફસી બેંક આઇસીઆઇસી બેંક એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા બેંકને ગુડ્સ અને સર્વિસ ટેક્સ મહાનિદેશાલય તરફથી નોટિસ જારી કરવામાં આવી છે જેમાં છેલ્લા પાંચ વર્ષનો ટેક્સ જમા કરવા માટે કહેવામાં આવ્યું હતું.
મહાનિદેશાલયના આ પગલાથી બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવી રહેલી ફ્રી સર્વિસ પર એની સૌથી વધારે અસર પડવાની સંભાવના છે. આ નોટિસ અન્ય બેંકોને આવનારા સમયમાં આપવામાં આવશે.
જે ગ્રાહકો પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખતા નહતા એમના ખાતામાંથી પૈસા કાપવામાં આવતા હતા. બેંકોએ પૈસા કાપ્યા બાદ સર્વિસ ટેક્સને જમા કર્યા નહીં ત્યારબાદ હવે એ નોટિસ મોકલવામાં આવી છે. આ દરેક બેંકોને ઓછામાં ઓછા 6 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ભરવો પડશે.
બેંકોએ પૈસા વસૂલવા માટે આ પ્રકારનો તોડ નિકાળ્યો. બેંક એનાથી ચિંતિત છે કારણ કે એ ગત તારીખથી ગ્રાહકો પાસેથી ટેક્સની માંગ કરી શકે નહીં.