કેન્દ્રીય મંત્રમંડળે ફેબ્રુઆરીમાં બેંક ખાતું ખોલવા અને મોબાઇલ ફોન કનેક્શન માટે ઓળખ પ્રમાણના રૂપમાં આધારના સ્વૈચ્છિક ઉપયોગથી અનુમતિ આપવા માટે એક અધ્યાદેશની મંજૂરી આપી હતી.
ગ્રાહક જો સહમતિ આપે તો બેંક KYC વેરિફિકેશન માટે આધારનો ઉપયોગ કરી શકે છે. ભારતીય રિઝર્વ બેંકે બુધવારે આ વાત કહી. કેન્દ્રીય બેંકે વ્યક્તિઓની ઓળખ માટે દસ્તાવેજની પોતાની યાદી અપડેટ કરી છે.
રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંક અને અન્ય એકમો બેંક ખાતા ખોલવા સહિત વિભિન્ન ગ્રાહક સેવાઓ માટે કેવાઇસી નિયમોનું પાલન કરશે. કેન્દ્રીય બેંકે KYC પર સંશોધિત આદેશમાં કહ્યું, 'બેંકે આવા વ્યક્તિઓના આધાર વેરિફિકેશન, ઑફલાઇન વેરિફિકેશન કરવાની પરવાનગી આપવામાં આવી છે, જે સ્વેચ્છાથી પોતાના આધારનો ઉપયોગ ઓળખને પ્રમાણિત કરવા માટે કરવા ઇચ્છે છે.'
કેન્દ્રીય મંત્રીમંડળે ફેબ્રુઆરીમાં બેંક ખાતા ખોલવા અને ફોન કનેક્શન લેવા માટે ઓળખ પ્રમાણના રૂપમાં આધારના સ્વૈચ્છિક ઉપયોગની અનુમતિ આપવા માટે એક અધ્યાદેશને મંજૂરી આપી હતી. અધ્યાયકને એક બિલના રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેને 4 જાન્યુઆરીએ લોકસભામાં પસાર કરી દેવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યસભામાં આ લંબિત પડ્યું હતું.