1 નવેમ્બર, 2020થી અનેક નવા બેન્કિંગ નિયમો અમલમાં આવ્યા છે. કેટલીક બેંકોએ બેંકની રજાઓ અને નોન-બિઝનેસ અવર્સ દરમિયાન કેશ ડિપોઝિટ કરવા અથવા ઉપાડવા પર ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાનું શરૂ કર્યું છે. જોકે, જન ધન ખાતાધારકોને આ નિયમોથી રાહત મળી છે અને તેમને કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
બેંકના ખાતાધારકો માટે ખરાબ સમાચાર
હવે પૈસા જમા કરવા કે ઉપાડવા પર આપવો પડશે ચાર્જ
જન ધન ખાતાધારકોને આ નિયમોથી રાહત મળી
જો કરંટ અથવા ઓવરડ્રાફ્ટ ખાતાધારક એક દિવસમાં એક લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવે છે તો તેમને ચાર્જ આપવો પડશે. વરિષ્ઠ નાગરિકોને આ ચાર્જ ચૂકવવો નહીં પડે.
એક અહેવાલ મુજબ, આઈસીઆઈસીઆઈ બેંકે 1 નવેમ્બરથી સાંજના 6 વાગ્યાથી સવારના 8 વાગ્યા દરમિયાન નોન-બિઝનેસ કલાકો દરમિયાન એટીએમ મશીન પર રોકડ જમા કરાવવા માટે ગ્રાહકો પાસેથી 50 રૂપિયા સુવિધા ચાર્જ લેવાનું શરૂ કર્યું છે.
આ ઉપરાંત જો કેશ એક્સેપ્ટર અથવા રિસાઈકલર મશીનમાં એક મહિનામાં 10 હજાર રૂપિયાથી વધુની રકમ જમા કરવા પર પછી ભલે એકવાર હોય કે ઘણી વખત, ત્યારે પણ બેંક ચાર્દ વસૂલશે.
આઈસીઆઈસીઆઈ બેંકે કહ્યું કે વરિષ્ઠ નાગરિકો, બેસિક બચત ખાતા, જન ધન ખાતું અને દૃષ્ટિહીન તેમજ વિદ્યાર્થીઓના ખાતા પર આવો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
બેંક ઓફ બરોડાએ પણ નિર્ધારિત રકમથી વધુના ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાનું શરૂ કર્યું છે. જ્યારે એક્સિસ બેન્કે ઓગસ્ટથી બેંકની રજાઓ પર પૈસા જમા કરવા માટે 50 રૂપિયાની સુવિધા ફી લેવાનું શરૂ કર્યું છે.