દેશની અલગ અલગ ટ્રેડ યૂનિયનોને બુધવારે (8 જાન્યુઆરી) ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ કારણે બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સુવિધાઓને અસર પડશે. સેન્ટ્રલ ટ્રેડ યૂનિયન્સ અને બેન્ક યૂનિયન નરેન્દ્ર મોદી સરકારની કથિત રાષ્ટ્ર વિરોધી અને જનતા વિરોધી નીતિઓ વિરૂદ્ધ પ્રદર્શન કરશે.
8 જાન્યુઆરીએ ભારત બંધ, કેટલીક બેંક યૂનિયનની હડતાળ
ટ્રાન્સપોર્ટ, બેંકિંગ જેવી સુવિધાઓને થઇ શકે છે અસર
ટ્રેડ યૂનિયન્સનો દાવો છે કે તેમણે કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારની સાથે બેઠક કર્યા બાદ બંધનું એલાન કર્યું છે. દાવો કર્યો છે કે 25 કરોડ લોકો આ દેશવ્યાપી હડતાળમાં સામેલ થઇ શકે છે. તમને જણાવી દઇએ કે સામાન્ય લોકો સાથે જોડાયેલ સુવિધાઓ પર અસર પડી શકે છે.
બેન્કિંગ સુવિધાઓ પર પડશે અસર
દેશવ્યાપી ભારત બંધનું બેકિંગ સુવિધાઓ પર અસર પડી શકે છે. લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઇન્ડિયન બેન્ક એસોસિએશને એક નિવેદનમાં કહ્યું કે, 8 જાન્યુઆરે થનાર ભારત બંધમાં 6 બેંક યૂનિયન સામેલ થશે. બેંકિંગ સુવિધાઓ જેવી એટીએમ સિવાય શાખાઓથી પૈસા કાઢવા અને જમા કરવા જેવી સુવિધાઓ પર હડતાળની અસર પડી શકે છે. જોકે ઓનલાઇન ટ્રાન્જેક્શન જેવા NEFT, IMPS પર કોઈ અસર નહીં પડે. ત્યારે પ્રાઇવેટ બેંકો પર આની અસર નહીં થાય.
શું શાળાઓ બંધ રહેશે?
જોકે બંધને લઇને શાળાઓમાં રજાનું કોઈ એલાન નથી કરવામાં આવ્યું.
પરીક્ષાઓને શું થશે અસર?
8 જાન્યુઆરીએ યૂપીટીઇટી 2019, જેઈઈ મેન્સ અને આઇસીએઆર એનઈટી જેવી મહત્વની પરીક્ષાઓ થવાની છે. ટ્રાન્સપોર્ટ સુવિધાઓ પર અસર પડવાની સ્થિતિમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ બંધના કારણે આ પરીક્ષાઓના રદ્દ થવાની કોઇ જાણકારી નથી. એગ્રીકલ્ચર સાઇન્ટિસ્ટટ રિક્રૂટમેન્ટ બોર્ડ, ICAR NET 2019ની પરીક્ષા પણ 8 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી વચ્ચે દેશભરમાં થવાની છે. કોઇ અપ્રિય સ્થિતિમાં જ પરીક્ષા સ્થગિત કરવામાં આવશે.
પરિવહન સુવિધાઓ પર શું પડશે અસર
ભારત બંધમાં કેટલાક ટ્રેડ યૂનિયન્સ પણ ભાગ લઇ રહ્યા છે. જોકે પરિવહન સુવિધાઓ પર પણ અસર પડશે. પરંતુ ઇમરજન્સી સર્વિસેઝ જેમ કે દૂધની સપ્લાઈ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, દવાઓ, એમ્બ્યુલન્સ અને હોસ્પિટલથી જોડાયેલ સુવિધાઓ પર કોઇ અસર નહીં પડે. ઇન્ડિગો, વિસ્તારા અને સ્પાઇસજેટે કહ્યું કે આ ભારત બંધના કારણે રોડ પર ભારે જામ લાગી શકે છે. તેવામાં એરપોર્ટ આવવા માટે મુસાફરોને વધુ સમય લઇને ચાલવું જેથી મુશ્કેલીથી બચી શકાય.
આ સંગઠનોએ બંધનું સમર્થન કર્યું
10 કેન્દ્રીય વેપારી સંગઠનો જેવા INTUC, AITUC, HMS, CITU, AIUTC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC સિવાય ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન, BEFI, INBEF, INBOC અને બેન્ક કર્મચારી સેના મહાસંઘ આ બંધમાં સામેલ થશે. બેન્ક કર્મચારી જાહેર ક્ષેત્રોના બેન્ક મર્જર થવાનો વિરોધ કરી રહ્યા છે.