કોરોના મહામારી સમયે બેંકોએ પોતાના અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ગ્રાહકોને કહ્યું કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડની કેટલીક સેવાઓ 30 સપ્ટેમ્બર 2020ના રોજ બંધ થશે. એટલે કે ગ્રાહકોને 1 ઓક્ટોબરથી આ સેવાઓ મળી શકશે નહીં. ભારતીય રિઝર્વ બેંકે 1 ઓક્ટોબરથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથેનો જે નિયમ બદલ્યો છે તેમાં આંતરરાષ્ટ્રિય ટ્રાન્ઝેક્શનની સેવાઓનો સમાવેશ કર્યો છે.
બેંકોએ ખાતેદારોને કર્યા મેસેજ
ક્રેડિટ અને ડેબિટ કાર્ડની આ સર્વિસ આજ રાતથી થશે બંધ
આંતરરાષ્ટ્રિય ટ્રાન્ઝેક્શનની સેવાઓનો સમાવેશ કરાયો
SBIએ કહ્યું કે જો તમે તમારા કાર્ડથી ઈન્ટરનેશનલ માર્કેટમાં ખરીદીની સુવિધા ચાલુ રાખવા ઈચ્છો છો તો INTL પછી કાર્ડ નંબરના છેલ્લા 4 આંકડા લખીને 5676791 પર SMS કરો. મહામારીના કારણે કાર્ડ જાહેર કરનારાને RBIએ નિયમ લાગૂ કરવા માટે 30 સપ્ટેમ્બરનો સમય આપ્યો છે. નવા નિયમ અનુસાર ગ્રાહકોને આંતરરાષ્ટ્રિય, ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ કાર્ડથી લેનદેનની અલગ પ્રાથમિકતા અપાશે. અહીં એ પણ કહેવાયું છે કે એટીએમ મશીનથી રૂપિયા કાઢતી સમયે અને પીઓએસ ટર્મિનલ પર શોપિંગ માટે વિદેશી ટ્રાન્ઝેક્શનને પરમિશન અપાશે નહીં.
RBIએ આ વાતોની કરી છે સ્પષ્ટતા
RBIએ નવા નિયમોમાં કહ્યું છે કે ગ્રાહકોને આંતરરાષ્ટ્રિય, ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ કાર્ડથી લેનદેન માટે અલગથી પ્રાથમિકતા અપાશે. એટલે કે ગ્રાહકોને જરૂર છે તો તેમને આ સર્વિસ આપવામાં આવશે. ગ્રાહકોએ આ માટે એપ્લાય કરવાનું રહેશે. આરબીઆઈએ કહ્યું છે કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કરતાં ગ્રાહકોને ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શનની પરમિશન અપાશે. જો તેમને જરૂર નહીં હોય તો ટર્મિનલ શોપિંગ કે વિદેશી ટ્રાન્ઝેક્શનની પરમિશન અપાશે નહીં.