બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:34 PM, 14 March 2025
આઇબીએ સાથેની બેઠકમાં યુએફબીયુ સાથે જોડાયેલા તમામ કર્મચારી સંગઠનોએ તમામ કેડરમાં ભરતી અને પાંચ દિવસના કાર્ય સપ્તાહ સહિત અનેક મહત્વપૂર્ણ માંગણીઓ ઉઠાવી. પરંતુ આ મુખ્ય માંગણીઓ પર કોઈ સર્વસંમતિ થઈ શકી નથી.
ADVERTISEMENT
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ ગુરુવારે જણાવ્યું હતું કે 24 અને 25 માર્ચના તેમની બે દિવસીય દેશવ્યાપી હડતાળ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલુ રહેશે. UFBU એ જણાવ્યું હતું કે કર્મચારી સંગઠનની મુખ્ય માંગણીઓ પર ભારતીય બેંક એસોસિએશન (IBA) સાથેની વાટાઘાટોમાં કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નથી.
ADVERTISEMENT
આઇબીએ સાથેની બેઠકમાં યુએફબીયૂ સભ્યોએ તમામ કેડરમાં ભરતી અને પાંચ દિવસના કાર્યકારી સપ્તાહ સહિત અનેક મુદ્દાઓ ઉઠાવ્યા. નેશનલ કન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોયીઝ (NCBE) ના જનરલ સેક્રેટરી એલ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે બેઠક છતાં મુખ્ય મુદ્દાઓ વણઉકેલાયેલા રહે છે. નવ બેંક કર્મચારી યુનિયનોની એક સંકલિત સંસ્થા યુએફબીયુએ અગાઉ આ માંગણીઓ પર હડતાળનું એલાન કર્યું હતું.
વાતચીતમાં કયા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા?
આઇએફબી સાથેની બેઠકમાં યુએફબીયુ સાથે જોડાયેલા તમામ કર્મચારી સંગઠનોએ તમામ કેડરમાં ભરતી અને પાંચ દિવસના કાર્ય સપ્તાહ સહિત અનેક મહત્વપૂર્ણ માંગણીઓ ઉઠાવી. પરંતુ આ મુખ્ય માંગણીઓ પર કોઈ સર્વસંમતિ થઈ શકી નથી. નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોયીઝ (NCBE) ના જનરલ સેક્રેટરી એલ. ચંદ્રશેખરે કહ્યું કે આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.
કઈ માંગણીઓ માટે હડતાળ કરવામાં આવી રહી છે?
જાહેર ક્ષેત્રની બેંકોમાં ખાલી જગ્યાઓ ભરવા: કર્મચારીઓ અને અધિકારીઓના પદો પર તાત્કાલિક નિમણૂકો કરવી જોઈએ.
કામગીરી સમીક્ષા : યુનિયનો કહે છે કે નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા નોકરીની સુરક્ષાને જોખમમાં મૂકી રહી છે.
બેંકોના કામકાજમાં "માઈક્રો-મેનેજમેન્ટ" પર પ્રતિબંધ: UFBUનો આરોપ છે કે સરકારી બેંક બોર્ડની સ્વાયત્તતાને અસર થઈ રહી છે.
ગ્રેચ્યુઇટી કાયદામાં સુધારો: મર્યાદા વધારીને ₹25 લાખ કરવી જોઈએ, તેને સરકારી કર્મચારીઓ માટેની યોજનાની સમકક્ષ બનાવવી જોઈએ અને તેને આવકવેરામાંથી મુક્તિ આપવી જોઈએ.
IBA સંબંધિત બાકીના પડતર મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ.
બેંકો સતત 4 દિવસ બંધ રહેશે
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ અનુસાર દેશભરની 9 બેંકો 24 અને 25 માર્ચે હડતાળ પર રહેશે. જ્યારે 22 માર્ચ ચોથો શનિવાર છે અને 23 માર્ચ રવિવાર છે, તેથી બેંકો સતત 4 દિવસ બંધ રહેશે. જો તમારે બેંક સંબંધિત કોઈ કામ કરવાનું હોય તો તમારે તેને 22 માર્ચ પહેલા પૂર્ણ કરવું જોઈએ.
આ પણ વાંચોઃ એક કરતા વધારે PF એકાઉન્ટ હોય તો જોજો! ફાયદાના ચક્કરમાં નુકસાન, જાણો નિયમો
સામાન્ય લોકોની સાથે નાના-મોટા ઉદ્યોગપતિઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સતત ચાર દિવસ બેંકો બંધ રહેવાને કારણે દેશને મોટું આર્થિક નુકસાન થવાનું નક્કી છે. આના કારણે સરકારની સાથે સાથે સામાન્ય માણસના કામ પર પણ અસર પડશે. બેંકોની ચાર દિવસની હડતાળ દેશમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ પર પ્રતિકૂળ અસર કરશે.
દરરોજ ટ્રેડર્સ, સર્વિસ પ્રોવાઇડર્સ, કોર્પોરેટ ગૃહો, ઉદ્યોગો, નાના વ્યવસાયો અને અન્ય ક્ષેત્રો બેંકિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આનાથી તેમના બેંકિંગ કામગીરી પર ખરાબ અસર પડશે.
બેંકો બંધ થવાને કારણે NEFT દ્વારા થતા વ્યવહારો અટકી જશે. આના કારણે મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. આ હડતાળને કારણે ચેક ક્લિયરન્સ, એટીએમ કામગીરી સહિત ઘણી મહત્વપૂર્ણ સેવાઓ પ્રભાવિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.