આ મહીનાનાં અંતિમ સમયમાં દેશભરનાં બેંક કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતરશે. જો કે આમાં માત્ર સરકારી અને કેટલીક ખાનગી બેંકોમાં કાર્યરત કર્મચારીઓ ભાગ લેશે. કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી સરકારી બેંકોને વિલય કરવાનો નિર્ણય અને બેંકનાં કર્મીઓનાં વેતનમાં પણ માત્ર 8 ટકા જ વૃદ્ધિ કરવાનાં વિરોધમાં બેંક યૂનિયને 26 ડિસેમ્બરનાં રોજ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયને અશ્વિની રાણાએ કહ્યું કે સરકાર તેઓની માંગોને માની નથી રહેલ જે કારણોસર આ નિર્ણય લેવામાં આવેલ છે.
રાણાએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે બેંક યૂનિયન 25 ટકા વેતન વૃદ્ધિની માંગ સરકાર પાસે કરી રહેલ છે. સરકારની મોટે ભાગની યોજનાઓને બેંક દ્વારા જ લાગુ કરવામાં આવે છે. જ્યાં કેન્દ્રીય કર્મચારીઓનાં વેતનમાં સરકારે સારો એવો નફો કર્યો છે. ત્યાં જ બેંક કર્મચારીઓનાં વેતનમાં સામાન્ય વૃદ્ધિ કરવામાં આવી છે. દેશભરમાં અંદાજે 10 લાખ સરકારી બેંક કર્મચારી છે.
ગ્રાહકો પર પડશે આની અસરઃ
બેંક ઓફ બરોડા વિજયા બેંક અને દેના બેંકનાં મહાવિલય થઇ જવાંથી દેશમાં સરકારી બેંકોની સંખ્યા ઓછી થઇ જશે. જો કે આ વિલયથી આ બેંકોનાં ગ્રાહકોને પણ મોટી અસર પડશે કેમ કે આ દરેક બેંકોનાં નામ ખાતાની સંખ્યા એટીએમ અને ચેકબુક સુધી બદલવાની આવશ્યકતા ઉભી થઇ શકે છે.
ફરીથી એકાઉન્ટ ખોલી શકવું પડે તેવી આવશ્યકતાઃ
આ ત્રણ બેંકોનાં ગ્રાહકોને નવી બેંકોમાં પોતાનાં ફરી વાર એકાઉન્ટ ખોલવાનું રહેશે. જેથી તેઓનાં પેપર વર્કમાં પણ વધારો થઇ શકે છે. ગ્રાહકોનાં ખાતા ખોલવા માટે એક વાર ફરીથી કેવાયસીની પ્રક્રિયા કરવાની રહેશેય કેવાયસી થઇ જવા બાદ ગ્રાહકોને નવી ચેકબુક એટીએમ કાર્ડ અને પાસબુક મળશે.