સરકારે કરેલાં 10 બેંકોના વિલીનીકરણ સામે કર્મચારી સંગઠનો નારાજ થયા છે. તેઓએ 2 દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. જેના કારણે અબજોના વ્યવહારો ઠપ થશે. આ સાથે જ 2 દિવસની રજા પણ જોડાઈ જતી હોવાના કારણે સતત 4 દિવસ સુધી બેંકો બંધ રહેશે અને લોકોને મુશ્કેલી પડી શકે છે.
બેંક વિલીનીકરણને લઈને 4 કર્મચારી સંગઠનનો વિરોધ
26-27 સપ્ટેમ્બર એમ 2 દિવસ કરશે દેશવ્યાપી હડતાળ
28 સપ્ટેમ્બર ચોથો શનિવાર અને 29 સપ્ટેમ્બર રવિવાર
કુલ 4 દિવસ સતત બેંકો રહેશે બંધ
સરાકરે કરેલા 10 બેંકોના વિલીનીકરણને લઈને હવે બેંકિંગ સેક્ટરના ટ્રેડ યૂનિયન વિરોધ પ્રદર્શન કરશે. 4 ટ્રેડ યૂનિયન સંગઠનોએ 25 સપ્ટેમ્બરની અડધી રાતથી 27 સપ્ટેમ્બરની અડધી રાત સુધી હડતાળનું એલાન કર્યું છે. બેંક કર્મચારીઓની હડતાળના કારણે આ મહિને સતત 4 દિવસ સુધી બેંકો બંધ રહેશે. 4 દિવસ સુધી સતત બેંકો બંધ રહેવાના કારણે અબજોના વ્યવહારો ઠપ થશે.
28 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર અને 29 સપ્ટેમ્બરે રવિવાર છે. આ પછી બેંક કર્મચારીઓએ નવેમ્બરના બીજા અઠવાડિયાથી અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે બેંકિંગ સેક્ટરને બૂસ્ટ આપવા માટે છેલ્લા કેટલાક દિવસોથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એકસાથે 10 બેંકોના વિલીનીકરણનું એલાન કર્યું હતું. આ વિલય બાદ 4 નવી બેંક અસ્તિત્વમાં આવશે. એટલે કે 6 બેંકો અન્ય બેંકમાં મર્જ થશે.
4 Bank Officers' Trade Union Organisations have proposed to go on a continuous strike from midnight of 25 Sept to midnight of 27 Sept and on an indefinite strike from second week of Nov 2019, against the mergers & amalgamations in banking sector. pic.twitter.com/o3YGUisbAZ
કઈ કઈ બેંકોનું થશે વિલીનીકરણ?
સરકારે કુલ 10 બેંકોના વિલીનીકરણનું એલાન કર્યું છે. પહેલી પંજાબ નેશનલ બેંક જેમાં હવે યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક પણ સામેલ થશે. અન્ય વિલયમાં કેનેરા બેંક છે જેમાં સિંડિંકેટ બેંક મર્જ થશે. ત્રીજા વિલયમાં યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંક એક થશે. ચોથા વિલયની વાત કરીએ તો ઈન્ડિયન બેંકમાં ઈલાહાબાદ બેંક સામેલ છે. વિલયની જાહેરાત બાદ હવે દેશમાં 12PSBS બેંક રહેશે. આ પહેલાં 2017માં પબ્લિક સેન્ટરની 27 બેંક હતી.
વિલયને મળવા લાગી મંજૂરી
સરકારના વિલયના એલાન બાદ હાલમાં જ યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશક મંડળે આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકમાં પોતાની મંજૂરી આપી છે. આ પહેલાં 5 સપ્ટેમ્બરે પંજાબ નેશનલ બેંકે નિર્દેશક મંડળને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની સાથે તેના વિલયને સૈધ્ધાંતિક રીતે મંજૂરી આપી હતી.