સરકારી બેન્ક હવે પોતાના ટાઇમિંગમાં ફેરફાર કરી રહી છે. જો તમે કેશ જમા કરાવવા કે ઉપાડવા માટે બેન્કમાં જતા હો તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. હવે સરકારી બેન્કમાં સાંજના પાંચ વાગ્યા સુધી કેશ જમા કરાવી શકાશે. સરકારી બેન્ક હવે સવારના ૧૧થી સાંજના પાંચ વાગ્યા સુધી બેન્કિંગ કામકાજ હાથ ધરશે.
સરકારી બેન્કના કામકાજના સમય બદલાયા
અમુક બેન્કોએ લાગુ કર્યો નવો ટાઈમીંગ
આ અગાઉ બેન્કમાં બપોર બાદ બે વાગ્યા સુધી જ કેશ જમા થતી હતી, પરંતુ હવે સાંજના પાંચ વાગ્યા સુધી કેશ જમા કરાવી શકાય છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બેન્કોએ પોતાના ટાઇમિંગ બદલી નાખ્યા છે.
નાણાં મંત્રાલયે ગઇ સાલ તમામ સરકારી બેન્કને કામકાજના કલાક એકસરખા રાખવા નિર્દેશ આપ્યો હતો, પરંતુ વિવિધ બેન્કમાં તાલમેલ નહીં સધાતાં તેનો અમલ થઇ શક્યો ન હતો. તાજેતરના બદલાવ બાદ બેન્કમાં કોમર્શિયલ એક્ટિવિટીનો સમય સવારના ૧૧થી સાંજના છ વાગ્યા સુધી નિયત કરાયો છે.
કેટલીક બેન્કએ આ માટે સવારના ૧૧થી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય નક્કી કર્યો છે. જ્યારે અન્ય કેટલાક વિસ્તારમાં સવારના ૧૦થી સાંજના પાંચ વાગ્યા સુધી બેન્કિંગ કામકાજ ચાલે છે.