ખાનગીકરણ સામે ઘણા બધા બેન્ક કર્મીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે સરકાર ન માને તો ખેડૂતો જેવુ જ આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
બે દિવસથી બેન્ક કર્મીઓની હડતાળ
જૉ આંદોલન વધ્યું તો સામન્ય પ્રજાને ફટકો પડશે
ખાનગીકરણ સામે થઈ રહ્યો છે વિરોધ
દેશમાં આજે સાર્વજનિક બેન્કોની હડતાળનો બીજો દિવસ છે ત્યારે સરકારી બેન્કોમાં સામાન્ય પ્રજાના ઘણા બધા કામ અટવાઈ પડ્યા છે જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે યુનિયન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે સરકાર ના માને તો મોટું આંદોલન થશે.
સરકારને આપી ચેતવણી
સરકારી બેન્કોમાં પ્રજાના કામો અત્યારે બંધ છે અને આજે હડતાળનો બીજો દિવસ છે. સ્ટ્રાઈક કરી રહેલી યુનિયન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે સરકાર વાત નહીં માને તો ખેડૂત આંદોલન જેવુ જ મોટું આંદોલન અને અનિશ્ચિતકાલીન હડતાળ કરવામાં આવી શકે છે.
યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે હડતાળનું આહવાહન કર્યું હતું અને નવ સાર્વજનિક બેન્કોનું સંયુક્ત મંચ છે. આ હડતાળની શરૂઆત સોમવારે કરવામાં આવી છે અને મંગળવારે છેલ્લો દિવસ છે.
કેમ થઈ રહ્યો છે વિરોધ
સરકારી બેન્કોના ખાનગીકરણની સામે લાખો કર્મચારીઓ હડતાળ પર છે. નાણામંત્રીએ પોતાના બજેટમાં IDBI બેન્ક અને અન્ય બે સરકારી બેન્કોના ખાનગીકરણનું એલાન કર્યું છે જેની સામે કર્મચારી યુનિયન તરફથી સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
લાખો કર્મીઓ જોડાયા
ઑલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશનના મહાસચિવ સૌમ્ય દત્તાએ કહ્યું કે સરકારની નીતિઑથી અર્થવ્યવસ્થાને જોરદાર નુકસાન થવાનું છે. તેમણે જણાવ્યું કે અમુક ટોચના અધિકારીઓને છોડીને દરેક બેન્ક કર્મચારીઑ હડતાળ કરી રહ્યા છે.
સામાન્ય પ્રજા પરેશાન
નોંધનીય છે કે દેશભરમાં ઘણા બધા શહેરોમાં આ મુદ્દે પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે સરકાર વાત નહીં માને તો ખેડૂતો આંદોલન જેવુ જ આંદોલન થશે. દત્તાએ કહ્યું કે અમે અમારી શાખાઓના માધ્યમથી કરોડો ગ્રાહકો સાથે જોડાયેલા છે અને તેમને સમજાવી રહ્યા છે કે સરકારની ખોટી નીતિઓથી તેમના પર શું અસર પડશે.
ભારતીય બેન્ક કર્મચારી સંગઠનના મહાસચિવ સીએચ વેંકટચાલ્મે કહ્યું છે કે હડતાળથી દેશભરમાં આશરે 2 કરોડ ચેક ક્લિયરન્સ થઈ શક્યું નથી. કુલ 16, 500 કરોડની રકમ ફસાયેલી છે. આ સિવાય રોકડ, જમા સહિતના ઘણા કામો પર અસર પડી છે.