આવતીકાલે દેશભરમાં વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. તેમનો દાવો છે કે મોદી સરકારની આર્થિક નીતિ દેશના સામાન્ય વર્ગ અને શ્રમિકોના વિરોધમાં છે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયને હડતાળની જાહેરાત કરતાની સાથે જ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું. જેમાં તેમણે કહ્યું કે હડતાળમાં તેમને 25 કરોડ લોકોનો સાથ મળશે.
આજે જ પતાવી લો બેંકના જરૂરી કામ
કાલે બેંકોમાં યોજાશે હળતાલ
8 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાલનું એલાન
ત્યારે SBI અને સિંડિકેટ બેંકે શેર બજારને આ મામલે તૈયારી રાખવા જણાવ્યું છે. SBI એ જણાવ્યું કે, હડતાલમાં ભાગ લેનારા યુનિયનોમાં અમારા બેંક કર્મીઓની સંખ્યા ખૂબ જ ઓછી હશે, જેથી બેંકના કામકાજ પર હડતાલની ઓછી અસર જોવા મળશે.
થશે આવી અસર
જ્યારે સરકારી ક્ષેત્રની સિંડિેકેટ બેંકે જણાવ્યું હતું કે, તે હડતાલને ધ્યાનમાં રાખાની કામકાજને સામાન્ય રાખવા માટે ખાસ પગલા ઉઠાવી રહ્યું છે. સિંડિકેટ બેંકનું કહેવું છે કે, હડતાલના કારણે શાખાઓનું કામકાજ પ્રભાવિત થઇ શકે છે.
આ કારણથી યોજાશે હળતાલ
10 કેન્દ્રીય મજૂર સંગઠનોએ કેન્દ્ર સરકાર પર મજૂર વિરોધી નીતિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો છે અને તેને ધ્યાનમાં રાખીને 8 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાલનું એલાન કર્યું છે. આવતીકાલે થનારી હડતાળમાં 60થી વધુ વિદ્યાર્થી સંગઠન, વિવિધ યુનિવર્સિટીના પદાધિકારીઓ પણ ફી વધારાને લઈને આ હડતાળમાં જોડાવવાના છે. ટ્રેડ યુનિયને કહ્યું છે કે, મોદી સરકારે 2015 બાદ એકપણ શ્રમ સમ્મેલન નથી યોજ્યું. સાથે જ શ્રમ મંત્રાલયની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે.