સરકારી બેંક કર્મચારી એક વખત ફરીથી બેંક હડતાળની યોજના બનાવી રહ્યા છે. એવામાં ATM અને બેંકિંગ સેવાઓ સતત 5 દિવસો માટે પ્રભાવિત થઇ શકે છે. સામાન્ય જનતાને રોકડની કમી અને બેંકિંગ સેવાઓને લઇને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
સરકારી બેંકોના કર્મચારી હવે એક વખત ફરીથી બેંક હડતાળ કરી શકે છે
માર્ચના બીજા સપ્તાહમાં ATM અને બેંકિંગ સેવાઓ સતત 5 દિવસ માટે પ્રભાવિત થઇ શકે છે
સરકાર એની માંગણી માનશે નહીં તો 1 એપ્રિલથી એ અનિશ્ચિતકાલીન હડતાળ પર જશે
ગત સપ્તાહે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ સતત બે દિવસ બેંક હડતાળ કર્યા બાદ સરકારી બેંકોના કર્મચારી હવે એક વખત ફરીથી બેંક હડતાળ કરી શકે છે. જો સરકારી બેંકોના કર્મચારી આ હડતાળ કરવામાં સફળ રહે છે તો માર્ચના બીજા સપ્તાહમાં ATM અને બેંકિંગ સેવાઓ સતત 5 દિવસ માટે પ્રભાવિત થઇ શકે છે. જો તે સામાન્ય માણસને કેશની કમથી લઇને બેંકિંગ સેવાઓને લઇને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
ક્યારે થઇ શકે છે હડતાળ
બેંક એમ્પ્લૉઇ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લૉઇ પ્રમાણે, 11 માર્ચથી 13 માર્ચની વચ્ચે સતત 3 દિવસો માટે બેંક હડતાળ હોઇ શકે છે. વાસ્તવમાં, બેંક કર્મચારીઓના પગાર વધારાની માંગને લઇને ઇન્ડિયા બેંક એસોસિએશનની સાથે વાતચીત સફળ રહી નથી.
સતત 5 દિવસ પ્રભાવિત રહી શકે છે બેંકિંગ સેવાઓ
આ હડતાળ મહિનાના બીજા શનિવાર પહેલા આયોજિત કરવામાં આવી છે. એવામાં રવિવાર મળીને સતત 5 દિવસો માટે બેંકિંગ સેવાઓ બંધ રહી શકે છે. જણાવી દઇએ કે દર મહિનાના બીજા શનિવારે બેંકની રજા રહે છે. જો કે આ હડતાળથી ICICI બેંક અને HDFC બેંક જેવી પ્રાઇવેટ બેંકોના કામકાજ પર કોઇ અસર નહીં પડવાની શક્યતા છે.
1 એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાલ
જો સરકારી બેંકોમાં આ હડતાળ થાય છે તો આ વર્ષે ત્રીજી તક હશે જ્યારે બેંકિંગ સેવાઓ પ્રભાવિત હશે. આ પહેલા 8 જાન્યુઆરીએ સરકારની નીતિઓને લઇને યૂનિયનોએ ભારત બંધનું આહ્વાન કર્યું હતું. બેંકો યૂનિયને એવું પણ એલાન કર્યું છે કે જો સરકાર એની માંગણી માનશે નહીં તો 1 એપ્રિલથી એ અનિશ્ચિતકાલીન હડતાળ પર જશે.
શું છે બેંક કર્મચારીઓની માંગ
સરકાર બેંક કર્મચારીઓની માગણી છે કે દર 5 વર્ષ બાદ એમના વેતનને રિવાઇઝ કરે. આ સહમતિ યૂનિયન લીડર્સ અને બેંક પ્રબંધનથી ઘણી બેઠકો બાદ બની છે. બેંક કર્મચારીઓની સેલરીને અંતિમ વખત 2012માં રિવાઇઝ કરવામાં આવી હતી. વર્ષ 2017થી અત્યાર સુધી એને રિવાઇઝ કરવામાં આવી નથી.
બેંક યૂનિયનો દર બીજા શનિવારની રજાના પણ વિરોધમાં છે. જો કે ઇન્ડિયન બેંક એસોસિએશને 5 દિવસના કાર્ય સપ્તાહના પ્રસ્તાવને ફગાવી દીધો છે. એમનું કહેવું છે કે ભારતમાં પહેલાથી જ પબ્લિક રજાઓ વધારે છે. એવામાં દર શનિવાર અને રવિવારે બેંકની રજાઓથી સામાન્ય લોકોને પરેશાની થઇ શકે છે.