વડોદરાઃ શહેરના ઉદ્યોગપતિ અમિત ભટનાગરના કરોડાના કૌભાંડ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યુ છે. આ મામલે નીતિન પટેલે નિવેદન આપતા કહ્યુ છે કે કૌભાંડી અમિત ભાટનાગરનો પાસપોર્ટ જપ્ત કરવો જઈએ.
જરૂર પડે તો એરપોર્ટ રોડ પર રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવી જોઈએ. અમિત ભાટનાગર પર સકંજો કસવાની જવાબદારી તપાસ એજન્સીઓની છે. આ ઉપરાંત સરકાર પણ અમિત ભટનાગરને છોડશે નહી.
ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ અમિત ભટનાગર પર CBIએ સકંજો કસ્યો છે અને ભટનાગરની ઓફિસ ઘર અને ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા. CBIના અધિકારીઓએ તેમના મહત્વના દસ્તાવેજો જપ્ત કરી લીધા હતા. અને વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે અમિત ભટનાગર પર કરોડો રૂપિયાનું દેવું છે. અમિત ભટનાગરે બેંકોની લોનના કરોડો રૂપિયાની ભરપાઇ કરવાની બાકી છે.