બેન્ક એકાઉન્ટ ખોલતી વખતે જ તમારી પાસે નોમિનીનો ઓપ્શન આપવામાં આવે છે. એવામાં કોઈ પણ ખાતાધારકના મોત બાદ તેમના એકાઉન્ટમાં જમા રકમ પર અધિકાર નોમિનીનો હોય છે.
ખાતા ધારકના મોત પર જમા રકમનું શું થાય છે?
નોમિની માટે શું છે નિયમ?
જાણો પૈસા ઉપાડવાની સંપૂર્ણ પ્રોસેસ
પાછલા થોડા વર્ષોમાં સરકારે ગામથી લઈને શહેરો સુધીના લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવા પર વધારે ભારે આપ્યો છે. જન-ધન યોજના હેઠળ 44.58 કરોડ ખાતા અલગ અલગ બેન્કોમાં ખોલવામાં આવ્યા છે. તેનાથી ગરીબ અને કમજોર આવક ધરાવતા વર્ગની પહોંચ પણ બેન્કો સુધી પહોંચી છે. લોકો પોતાના જીવનની કમાણીનો એક મોટો ભાગ બેન્કોમાં સેવિંગની રીતે મુકે છે. પરંતુ ખાતાધારકના અચાનક મોત પર ઘણી વખત લોકોને સમજ નથી આવતું કે તે ધન રાશિનો અસલી હકદાર કોણ હશે?
ખાતાધારકના મોત પર ખાતામાં જમા રકમ માટે આ છે નિયમ
બેન્ક એકાઉન્ટ ખોલતી વખતે જ તમારી પાસે ફોર્મ પર નોમિનીને ફીલ કરવાનો ઓપ્શન ભરવા માટે કહેવામાં આવે છે. એવામાં કોઈ પણ ખાતાધારકના મોત બાદ તેના એકાઉન્ટમાં જમા રકમ પર અધિકાર નોમિનીનો હોય છે. તે બેન્કમાં આવીને બધા પૈસા કાઝીને એકાઉન્ટ બંધ કરાવી શકે છે. નોમિની હોવા પર ખાતાધારકનું મોત થવા પર કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો.
નોમિની ન હોવા પર શું છે નિયમ?
તમને જણાવી દઈએ કે ઘણી વખત ખાતાધારક પોતાના એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારના નોમિનીનું નામ નથી આપતા. એવામાં એકાઉન્ટમાં જમા રકમ ઉપાડવામાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ તેના માટે પણ RBIના અમુક નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તેના અમુસાર જો કોઈ ખાતાધારકનું મોત થઈ ગયું હોય તેના દરેક ઉત્તરાધિકારીઓને આ પૈસા માટે ક્લેમ કરવો પડશે.
તેના માટે ઉત્તરાધિકારીને ઉત્તરાધિકારી પ્રમાણ પત્ર (Succession Certificate) આપવું જરૂરી છે. તેનાથી તે વ્યક્તિની ઓળખ ખાતાધારકના કાયદાકીય ઉત્તરાધિકારીના રૂપમાં થાય છે. પરંતુ જણાવી દઈએ કે આ પ્રક્રિયા થોડી જટીલ છે. ઉત્તરાધિકારી પ્રમાણ પત્ર બતાવીને એકાઉન્ટથી પૈસા કાઢી શકે છે.
જોઈન્ટ એકાઉન્ટનો આ છે નિયમ
તમને જણાવી દઈએ કે જો ખાતાધારકે પોતાના એકાઉન્ટને કોઈની સાથે જોઈન્ટ ખોલ્યું છે તો કોઈ એક ખાતાધારકના મોત પર બીજાને બધા પૈસા મળી જાય છે. બીજો ખાતાધારક વગર કોઈ મુશ્કેલીએ બધા પૈસા ઉપાડી શકે છે.