બેન્ક ઓફ ઈન્ડિયાએ રવિવારે પોતાના ગ્રાહકોને મોટી ગિફ્ટ આપી છે. બેન્ક ઓફ ઈન્ડિયાએ રિઝર્વ બેન્ક (RBI) દ્વારા કાપવામાં આવતા પોલિસી રેટનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવાનો નિર્ણય લીધો છે. BOIએ રવિવારે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સમાં 75 બેસિસ પોઈન્ટ એટલે કે 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ ઘટીને 7.25 ટકા થઈ ગયો છે. લેન્ડર્સ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ આરબીઆઈના રેપો રેટથી લિંક્ડ છે. વ્યાજદરોમાં આ ઘટાડો 1 એપ્રિલથી લાગુ થશે.
કોરોના સંકટ વચ્ચે રાહતના સમાચાર
SBI બાદ આ બેંકે વ્યાજદરોમાં કર્યો ઘટાડો
1 એપ્રિલથી નવા વ્યાજદર થશે લાગુ
તમને જણાવી દઈએ કે, 27 માર્ચે રિઝર્વ બેન્કના રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે બાદ આ 4.4 ટકાના સ્તર પર આવી ગયું હતું.
બેંકે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સ 75 બેસિસ પોઈન્ટ ઘટાડીને 7.25 ટકા પ્રતિ વર્ષ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ હોમ, વ્હીકલ અને એમએસએમઈ ગ્રાહકોને આરબીઆઈ દ્વારા જાહેર દરમાં ઘટાડાનો લાભ પણ આપવામાં આવશે.
આ સાથે જ બેંક માર્જનિલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ ((MCLR)માં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો તમામ સમય મર્યાદા માટે કરવામાં આવ્યો છે. બેન્ક ઓફ ઈન્ડિયાએ એક વર્ષથી એક મહિનાના સમયગાળા માટે 0.25 ટકા ઘટાડો કર્યો છે. જ્યારે એક રાતના સમયગાળા માટે 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. એક વર્ષ માટે બેંકનું એમસીએલઆર હવે ઘટીને 7.95 ટકા વાર્ષિક થઈ ગયું છે. નવા દર 1 એપ્રિલ 2020થી લાગુ થઈ જશે.
SBIએ સૌથી પહેલા ગ્રાહકોને આપી હતી ગિફ્ટ
એસબીઆઈએ શુક્રવાર મોડી સાંજે એક્સટર્નલ અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટમાં પણ 75-75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. બેન્કે જાણકારી આપી છે કે, નવા લેન્ડિંગ રેટ્સ 1 એપ્રિલ 2020થી લાગુ કરી દેવામાં આવશે. એસબીઆઈએ એક્સટર્નલ લેન્ડિંગ રેટ્સમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે, ત્યારબાદ આ 7.80 ટકાથી ઘટી 7.05 ટકા પર આવી ગયો છે. આ રીતે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. એસબીઆઈના આ નિર્ણય બાદ RLLR 7.40 ટકાથી ઘટી 6.65 ટકાના સ્તર પર આવી ગયું છે.