જો તમે જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો આ તમારા માટે કામના સમાચાર છે. તમે 23 ઓક્ટોબરથી 24 ઓક્ટોબરની વચ્ચે થોડા કલાકો માટે અમુક જરૂરી બેન્કિંગ સર્વિસનો ફાયદો લઇ શકશો નહીં. બેંક આવુ ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે કરી રહ્યું છે.
બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક માટે કામના સમાચાર
23 થી 24 ઓક્ટોબર વચ્ચે જરૂરી બેન્કિંગ સેવાનો લાભ લઈ શકાશે
અમુક મર્યાદીત કલાકો દરમ્યાન બેંક ઓનલાઈન પૈસા ટ્રાન્સફર નહીં કરી શકે
ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થઇ શકશે નહીં
બેંકે આ અંગે જાણકારી શેર કરતા કહ્યું છે કે ગ્રાહક મર્યાદીત કલાકોની વચ્ચે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. આ સાથે મનપસંદ બેન્કિંગ સર્વિસનો ફાયદો લઇ શકશે. બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને કહ્યું છે કે 23 ઓક્ટોબર 2021 1.30 વાગ્યાથી 24 ઓક્ટોબર 2021ના રોજ 5.00 વાગ્યા સુધી ટેકનોલોજીમાં અપડેટ કરવા સંદર્ભે સિસ્ટમ અપગ્રેડેશનનું કામ થશે. જેને પગલે ઘણી બેન્કિંગ સર્વિસનો લાભ નહીં મળે. બેંકે આ અસુવિધા માટે દુ:ખ દર્શાવ્યું છે.
નક્કી કરેલા સમયની વચ્ચે સુધારા દરમ્યાન તમને એટીએમ, યુપીઆઈ, મોબાઈલ બેન્કિંગ અને ઈન્ટરનેટ બેન્કિંગ, આઈએમપીએસ અને આઈવીઆર દ્વારા બેન્કિંગ સર્વિસ મેળવી શકશો. આ સાથે જ એનઈએફટી, આરટીજીએસ, મિસ્ડ કોલ ઈન્કવાયરી અને પાસબુક-ખાતા ડિટેઈલ જનરેટ કરવા સંબંધિત બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં.
લદ્દાખમાં ખોલવામાં આવી પહેલી શાખા
બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે લદ્દાખના લેહમાં પ્રથમ શાખા શરૂ કરી છે. બેંકના એક સિનિયર અધિકારીએ કહ્યું કે બેંક પોતાની સેવાઓને દેશના દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બેંક ઓફ ઈન્ડિયાની આ દેશ અને વિદેશમાં બેંક દ્વારા ખોલવામાં આવેલી 5086મી શાખા છે અને લેહમાં રહેતા લોકોને સાત દિવસ 24 કલાક બેંક સેવાઓ પ્રદાન કરવા માટે ઈ-ગેલેરીની સુવિધાની સાથે સંપૂર્ણ રીતે કમ્પ્યુટરીકૃત અને ડીજીટલીકૃત છે.